જમ્મુ કાશ્મીર: ઉઘમપુરના સલાથિયા ચોક પર વિસ્ફોટ, 1નું મોત, 15 ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના ઉધમપુર જિલ્લામાં બુધવારે એક બ્લાસ્ટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 15 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ચારેબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક પહોંચેલી પોલીસ
જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના ઉધમપુર જિલ્લામાં બુધવારે એક બ્લાસ્ટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 15 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ચારેબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક પહોંચેલી પોલીસની ટીમે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પ્રાથમિક માહિતી અનુસાર, સલાથિયા ચોકમાં એક શેરી પાસે બ્લાસ્ટ થયો હતો, જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. ત્યાં ઘણા લોકો હાજર હતા, જેના કારણે ગભરાટનો માહોલ હતો. લોકો જીવ બચાવવા દોડવા લાગ્યા. હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સ્થિતિને કાબુમાં કરી લીધી છે. આ સાથે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
પીએમઓમાં મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે પણ ઘટના અંગે પૂછપરછ કરી છે. તેમણે જણાવ્યું કે વિસ્ફોટ ઉધમપુર તહસીલદાર ઓફિસ પાસે થયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. તેમણે ડીસી સાથે વાત કરી, તેમજ ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો. આ સાથે જ પોલીસ ટીમ ઘટનાના કારણની તપાસ કરી રહી છે.
શ્રીનગરમાં પણ બ્લાસ્ટ થયો હતો
તમને જણાવી દઈએ કે 6 માર્ચે પણ શ્રીનગરના અમીરાકદલ વિસ્તારના રવિવાર બજારમાં બ્લાસ્ટ થયો હતો. તે દરમિયાન આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. જેના કારણે બે નાગરિકોના મોત થયા હતા, જ્યારે 23 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ આતંકીઓ ભીડનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.