For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાંથી આતંકીઓએ 2 નાગરિકોનું અપહરણ કર્યું, એકનો મૃતદેહ મળ્યો

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાંથી આતંકીઓએ 2 વ્યક્તિનું અપહરણ કર્યું, એકનો મૃતદેહ મળ્યો

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામાના ત્રાલમાં આતંકીઓએ બે લોકોનું અપહરણ કરી લીધું છે. જેમાંથી એક વ્યક્તિની આતંકવાદીઓએ સોમવારે હત્યા કરી દીધી છે જ્યારે બીજા વ્યક્તિની તલાશ ચાલુ છે. જમ્મૂ-કાશ્મીર પોલીસ તરફથી આ ઘટનાની પુષ્ટિ કરી છે. પુલવામા, તક્ષિણ કાશ્મીરમાં આવે છે અને અહીંનો વિસ્તાર આતંકીઓનો ગઢ માનવામાં આવે છે. હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર બુરહાન વાની ત્રાલનો રહેવાસી હતો. હિઝબુલ અને જૈશ એ મોહમ્મદના કેટલાય કમાન્ડર ત્રાલના જ રહેનાર હતા.

indian army

જણાવવામાં આવી રહ્યું છે કે જે બે લોકોનું આતંકીઓએ અપહરણ કરી લીધું છે તે બંને ગુજ્જર સમુદાયના હતા. સુરક્ષાબળોએ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન લૉન્ચ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરની પોલીસ તરફથી આપવામાં આવલ જાણકારી મુજબ જે બે લોકોનું આતંકીઓએ અપહરણ કર્યું છે તેમાં એક રાજૌરીનો રહેવાસી અબ્દુલ કાદિર કોહલી અને બીજો શ્રીનગરના ખોનમોહ વિસ્તારનો રહેવાસી મંજૂર અહમદ છે. આતંકવાદીઓએ સોમવારે સાંજે 7.30 વાગ્યે આ બંનેનું અપહરણ કર્યું હતું. હત્યા થઈ તે વ્યક્તિ કોણ છે તે અંગે હજુ કંઈ જાણકારી મળી નથી.

<strong>ઈસ્લામ આવ્યા બાદ જ છૂત-અછૂતની પરંપરા આવીઃ RSS નેતા</strong>ઈસ્લામ આવ્યા બાદ જ છૂત-અછૂતની પરંપરા આવીઃ RSS નેતા

English summary
Jammu and Kashmir: terrorist kidnapped 2 citizens from tral of pulwama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X