જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાંથી આતંકીઓએ 2 નાગરિકોનું અપહરણ કર્યું, એકનો મૃતદેહ મળ્યો
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાંથી આતંકીઓએ 2 વ્યક્તિનું અપહરણ કર્યું, એકનો મૃતદેહ મળ્યો
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામાના ત્રાલમાં આતંકીઓએ બે લોકોનું અપહરણ કરી લીધું છે. જેમાંથી એક વ્યક્તિની આતંકવાદીઓએ સોમવારે હત્યા કરી દીધી છે જ્યારે બીજા વ્યક્તિની તલાશ ચાલુ છે. જમ્મૂ-કાશ્મીર પોલીસ તરફથી આ ઘટનાની પુષ્ટિ કરી છે. પુલવામા, તક્ષિણ કાશ્મીરમાં આવે છે અને અહીંનો વિસ્તાર આતંકીઓનો ગઢ માનવામાં આવે છે. હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર બુરહાન વાની ત્રાલનો રહેવાસી હતો. હિઝબુલ અને જૈશ એ મોહમ્મદના કેટલાય કમાન્ડર ત્રાલના જ રહેનાર હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે જે બે લોકોનું આતંકીઓએ અપહરણ કરી લીધું છે તે બંને ગુજ્જર સમુદાયના હતા. સુરક્ષાબળોએ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન લૉન્ચ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરની પોલીસ તરફથી આપવામાં આવલ જાણકારી મુજબ જે બે લોકોનું આતંકીઓએ અપહરણ કર્યું છે તેમાં એક રાજૌરીનો રહેવાસી અબ્દુલ કાદિર કોહલી અને બીજો શ્રીનગરના ખોનમોહ વિસ્તારનો રહેવાસી મંજૂર અહમદ છે. આતંકવાદીઓએ સોમવારે સાંજે 7.30 વાગ્યે આ બંનેનું અપહરણ કર્યું હતું. હત્યા થઈ તે વ્યક્તિ કોણ છે તે અંગે હજુ કંઈ જાણકારી મળી નથી.
Jammu & Kashmir Police: One of the two persons who was abducted by terrorists in TRAL, yesterday, has been shot dead. Search for the other person is underway. pic.twitter.com/hfwiUXR8t5
— ANI (@ANI) August 27, 2019
ઈસ્લામ આવ્યા બાદ જ છૂત-અછૂતની પરંપરા આવીઃ RSS નેતા