જમ્મુ: પીએમ મોદીની રેલી સ્થળ પાસે વિસ્ફોટ, RDXના મળ્યા નિશાન
જમ્મુમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલી સ્થળ નજીક બ્લાસ્ટના સ્થળેથી આરડીએક્સ અને નાઈટ્રેટ કમ્પાઉન્ડના નિશાન મળી આવ્યા હતા. બ્લાસ્ટ જમ્મુના લલિયાના ગામમાં એક ખેતરમાં થયો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે શરૂઆતમાં પોલીસે
જમ્મુમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલી સ્થળ નજીક બ્લાસ્ટના સ્થળેથી આરડીએક્સ અને નાઈટ્રેટ કમ્પાઉન્ડના નિશાન મળી આવ્યા હતા. બ્લાસ્ટ જમ્મુના લલિયાના ગામમાં એક ખેતરમાં થયો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે શરૂઆતમાં પોલીસે તેને વીજળી કે ઉલ્કાઓ ખેતરમાં પડી હોવાનું ગણાવ્યું હતું. CFSL વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે.
બ્લાસ્ટ જમ્મુના લલિયાના ગામમાં એક ખેતરમાં થયો હતો, જે જમ્મુ-કાશ્મીરમાં પીએમ મોદીની રેલીના સ્થળથી 12 કિમી દૂર છે. પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે તે આતંક સાથે સંબંધિત નથી. વિગતો શોધી કાઢવામાં આવી રહી છે. અમને શંકા છે કે તે ઉલ્કા હોઈ શકે છે, વીજળી હોઈ શકે છે.
ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ (રવિવાર)ના રોજ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે, તેમણે જમ્મુ વિભાગના સાંબા જિલ્લામાં પલ્લી પંચાયત ખાતે દેશભરની ગ્રામસભાઓને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમાં બનિહાલ-કાઝીગુંડ રોડ ટનલ, દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે અને રાતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.