For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયરામે મારા પેપરમાંથી નકલ કરી, પહાડના લોકો સાદા હોય છે, પણ નેતાઓ ખરાબ : કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, હિમાચલમાં મારા આગમન પહેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મારી નકલ કરીને રાજ્યના લોકો માટે 125 યુનિટ સુધી વીજળી મકત આપવાની જાહેરાત કરી હતી.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટી (AAP) ના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિમાચલ પ્રદેશમાં તેમની પ્રથમ ચૂંટણી જાહેર સભામાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરને ઉગ્રતાથી નિશાન બનાવ્યા હતા. શનિવારના રોજ કાંગડાના ચંબી મેદાનમાં આયોજિત જનસભામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, હિમાચલમાં મારા આગમન પહેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મારી નકલ કરીને રાજ્યના લોકો માટે 125 યુનિટ સુધી વીજળી મફત આપવાની જાહેરાત કરી હતી.

કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હીમાં મફત વીજળીની માહિતી મળી, તો તેઓએ જયરામ ઠાકુરને ફોન કર્યો અને ખૂબ ઠપકો આપ્યો હતો. બંનેએ કહ્યું કે, હવે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં પણ અમારે મફત વીજળી આપવી પડશે.

કેજરીવાલે કહ્યું કે, આ વર્ષે હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યોમાં ભાજપ AAPથી ભયંકર રીતે ડરે છે. મફત વીજળી પર, કેજરીવાલે જાહેર સભામાં પોતાના અને જયરામ ઠાકુર વિશે નાટકીય ટુચકો સંભળાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, એકવાર શાળામાં પરીક્ષા ચાલી રહી હતી. પરીક્ષા કેન્દ્રમાં તેઓ આગળ બેઠો હતો અને જયરામ પાછળ બેઠો હતો. જયરામ તેમનામાંથી કોપી કરતા હતા. મેં કાગળ પર 300 લખ્યા અને જયરામે મારી નકલ કરીને 125 લખ્યા હતા. અનુકરણ કરવા માટે પણ ડહાપણની જરૂર છે. આ કિસ્સો સંભળાવ્યા બાદ કેજરીવાલે કાર્યકરોને પૂછ્યું કે, શું તમે નકલને પસંદ કરશો કે અસલને?.

કેજરીવાલે જણાવ્યું હતું કે, મારા આગમનના એક દિવસ પહેલા મુખ્યપ્રધાન જયરામે ટ્વીટ કર્યું હતું કે, હિમાચલમાં દિલ્હી મોડલ નહીં ચાલે. દિલ્હી મોડલનો અર્થ ઈમાનદાર સરકાર છે. એટલે કે જયરામ ઠાકુર હિમાચલમાં ઈમાનદાર સરકાર ઈચ્છતા નથી.

જયરામ સરકારી શાળા જોવા દિલ્હી આવો

જયરામ સરકારી શાળા જોવા દિલ્હી આવો

કેજરીવાલે જણાવ્યું હતું કે, જયરામે હિમાચલની સરકારી શાળાઓને બરબાદ કરી નાખી છે. હું તેમને અને હિમાચલના લોકોને સરકારી શાળા જોવા દિલ્હી આવવાનુંઆમંત્રણ આપું છું. અમે ખાનગી શાળાઓમાં ફી વધારાની મંજૂરી આપી નથી. જયરામે સાડા ચાર વર્ષમાં યુવાનોને એક પણ નોકરી આપી નથી.

ભગવાને હિમાચલ આપ્યું, ભાજપ-કોંગ્રેસે લૂંટ્યું

ભગવાને હિમાચલ આપ્યું, ભાજપ-કોંગ્રેસે લૂંટ્યું

કેજરીવાલે જણાવ્યું હતું કે, ભગવાને હિમાચલને કુદરતી રીતે આપવામાં કોઈ કસર છોડી નથી, પરંતુ ભાજપ-કોંગ્રેસની સરકારોએ રાજ્યને લૂંટવામાં કોઈ કસર છોડીનથી. હિમાચલમાં કોંગ્રેસ 30 વર્ષ અને બીજેપીએ 17 વર્ષ શાસન કર્યું છે. હવે હિમાચલમાં પણ ઝાડુ ચાલશે.

કેજરીવાલે લોકોને કહ્યું કે, અમને માત્ર એક તક આપો. જોતમારી અપેક્ષાઓ પર અમે ખરા ઉતરતા નથી, તો અમને ફરીથી મત આપશો નહીં.

નડ્ડા, અનુરાગ મને ગાળો આપે છે

નડ્ડા, અનુરાગ મને ગાળો આપે છે

કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દિવસ-રાત તેમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. જેપી નડ્ડા પણ તેમના ભાષણમાં મને ગાળો આપતા રહ્યા છે.

અનુરાગ ઠાકુર પણ મને ગાળો જ આપે છે. હું વિકાસની રાજનિતિ જાણતો નથી. હું ચોક્કસથી દેશભક્ત છું. કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસમાં પણ કેટલાકસારા લોકો છે. તેઓ AAPમાં જોડાવવું જોઈએ. હિમાચલમાં લોકો સરળ છે અને નેતાઓ ખરાબ છે.

English summary
Jayaram copied from my paper, mountain people are simple, but leaders are bad said Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X