ઝારખંડમાં PM મોદીની રેલી, કહ્યું: કોંગ્રેસ અને JMM કરે છે સ્વાર્થની રાજનીતિ
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં સીયાસી પારો ચડ્યો છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં એડીથી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં સીયાસી પારો ચડ્યો છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં એડીથી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે ખુંટીમાં એક ચૂંટણી સભાને પણ સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની સરકારોએ જે વિવાદ લગાતાર લટકાવી રાખ્યો તે રામજન્મભૂમિ પરના વિવાદને શાંતિપૂર્ણ રીતે હલ કરી દેવાયો છે.
ચૂંટણી સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે ઝારખંડ 19 વર્ષનું થઈ ગયું છે, તો આ રાજ્યની જવાબદારી જેટલી અહીંના લોકોની છે એટલી જ જવાબદારી મારી પણ છે. ચાલો આપણે બધા સાથે મળીને કામ કરીએ જેથી ઝારખંડ 25 વર્ષનું થઈ જાય ત્યારે તે એટલું શક્તિશાળી અને સશક્ત બને કે ક્યારેય પાછળ વળીને જોવું ન પડે.
તેમણે કહ્યું કે ભાજપ સરકાર આદિજાતિ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપી રહી છે, કારણ કે આદિજાતિના હિતોનું રક્ષણ કરવામાં ભાજપનો ટ્રેક રેકોર્ડ છે. તે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભાજપ સરકાર હતી, જેણે આદિવાસી સમુદાય માટે અલગ ઝારખંડ અને છત્તીસગ રાજ્યોની રચના કરી હતી. તેમણે કહ્યું કે ઝારખંડ દેશના તે રાજ્યોમાં છે, જ્યાં બહેનોને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભથી જ નહીં, પણ બમણા ફાયદાઓ પણ થયા છે.
Prime Minister Narendra Modi in Khunti, Jharkhand: A prince leaves from Ayodhya and after 14 years of 'vanvaas', on his return, he becomes 'Maryada Purushottam Ram' because Prince Ram spent those years with 'adivasis'. pic.twitter.com/IAT0se1qgs
— ANI (@ANI) December 3, 2019
પીએમ મોદીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ દેશના બાકીના ભાગોમાં એક મફત સિલિન્ડર આપવામાં આવ્યો છે, જ્યારે ઝારખંડમાં બે સિલિન્ડર આપવામાં આવ્યા છે. ઝારખંડથી જ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોલવાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અને કેન્દ્રીય દળના જવાનોના બાળકોને શિષ્યવૃત્તિ આપવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.