ભાજપમાં જોડાશે કમલેશ ઠાકુર, ઝારખંડના બદલાશે સત્તાના સમીકરણ?
Jharkhand assemblyElection 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. ઝારખંડમાં 81 વિધાનસભા બેઠક છે. હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગઈ છે.
ભારતીય જનતા પાર્ટી અને આજસુ વચ્ચે ગઠબંધન લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ વચ્ચે હુસૈનાબાદ બેઠકથી એનસીપી (અજીત જૂથ)ના એકમાત્ર ધારાસભ્ય કમલેશ કુમાર સિંહ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.
અહેવાલો અનુસાર હુસૈનાબાદના ધારાસભ્ય અને એનસીપી (અજીત જૂથ) ના પ્રદેશ અધ્યક્ષ કમલેશ સિંહ 3 ઓક્ટોબરના રોજ રાંચીમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.
આ દરમિયાન કમલેશ કુમાર સિંહે જણાવ્યું છે કે, તેમનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું હવે માત્ર ઔપચારિકતા પૂરી કરવાની વાત છે.
ઝારખંડમાં જળ સંસાધન, ખાદ્ય પુરવઠા અને ઉત્પાદન વિભાગ જેવા વિભાગોમાં મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા કમલેશ સિંહ 3 ઓક્ટોબરના રોજ સત્તાવાર રીતે ભાજપના સભ્ય બનશે.
કમલેશ સિંહ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટીનું સભ્યપદ લેશે.

આ દરમિયાન કમલેશ સિંહ સાથે તેમના પુત્ર, એનસીપીના પ્રદેશ પ્રવક્તા સૂર્ય સિંહ, એનસીપીના અધિકારીઓ અને હજારો કાર્યકર્તાઓ હાજર રહેશે.
હાલમાં કમલેશ સિંહ NCP (અજિત જૂથ)ના પ્રદેશ અધ્યક્ષ છે. NCP ની શરૂઆતથી જ તેઓ ઝારખંડમાં પાર્ટી સાથે હતા. જોકે, પાર્ટીના બે ભાગમાં વિભાજન થયા બાદ કમલેશ સિંહ અજીતના જૂથ સાથે ગયા હતા.
આવા સમયે હવે ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા, તેમણે ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું છે. કમલેશ સિંહ ભાજપમાં જોડાવાથી હુસૈનાબાદમાં ભાજપ વધુ મજબૂત થતી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કમલેશ કુમાર સિંહ 2005માં NCP તરફથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ ઝારખંડના જળ સંસાધન, ખાદ્ય પુરવઠા અને આબકારી વિભાગના મંત્રી પણ રહી ચૂક્યા છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
