JNU હિંસા પર વીસી જગદીશકુમારે તોડ્યુ મૌન, જણાવ્યુ - કેમ્પસમાં કેમ બેકાબુ થઈ સ્થિતિ
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બુકાનીધારી બદમાશોએ ઘણા છાત્રોને ખૂબ જ ખરાબ રીતે માર્યા હતા. સૂત્રો મુજબ આ મામલે દિલ્લી પોલિસે એફઆઈઆર નોંધી લીધી છે. કેમ્પસમાં ઘૂસેલા બુકાનીધારી બદમાશોએ શિક્ષકોને પણ નિશાન બનાવ્યા હતા. વળી, સમગ્ર મામલે જેએનયુના વીસી જગદીશ કુમારનુ નિવેદન પણ આવ્યુ છે. તેમણે કહ્યુ કે યુનિવર્સિટીની પહેલી પ્રાથમિકતા સંસ્થા અને છાત્રોની સુરક્ષા છે.

જેએનયુ વીસીએ શાંતિ જાળવી રાખવાની કરી અપીલ
જેએનયુના છાત્રોને વીસી એમ જગદીશ કુમારે બધા છાત્રોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી. તેમણે કહ્યુ કે યુનિવર્સિટી પોતાના છાત્રો સાથે જ છે અને આશ્વસ્ત કરવામાં આવે છે કે વિંટર સેમેસ્ટર કોઈ પણ અડચણ વિના પૂરુ થશે. તેમણે કહ્યુ કે જેએનયુમાં અમુક આંદોલનકારી છાત્રોના હિંસક હોવા અને મોટી સંખ્યામાં બિન પ્રદર્શનકારી છાત્રોની શૈક્ષણિક ગતિવિધિઓને અટકાવવાના કારણે આવી સ્થિતિ પેદા થઈ. તેમણે શિયાળુ સેમેસ્ટર રજિસ્ટ્રેશનને અટકાવવા માટે યુનિવર્સિટી કમ્યૂનિકેશન સર્વરને નુકશાન પહોંચાડ્યુ.
|
શિયાળુ સેમેસ્ટર રજિસ્ટ્રેશન કોઈ પણ સ્થિતિમાં થશે પૂરુ - વીસી
જેએનયુ કેમ્પસની અંદર બુકાનીધારી બદમાશો દ્વારા કરવામાં આવેલી મારપીટની ઘટના પર ગૃહ મંત્રાલયે જાણવાજોગ લીધુ છે. ગૃહ મંત્રી અમિત શાહે દિલ્લી પોલિસ કમિશ્નર અમૂલ્ય પટનાયક સાથે વાત કરી અને સ્થિતિની ચકાસણી કરી. સાથે જ તેમણે આખી ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યુ કે આ હિંસાની વરિષ્ઠ અધિકારીઓ પાસે તપાસ કરાવવામાં આવે અને જલ્દી રિપોર્ટ રજૂ કરવામાં આવે, જે પણ જરૂરી પગલા હોય તે લેવામાં આવે.
આ પણ વાંચોઃ JNU હિંસાને જોઈને રોઈ પડી સ્વરા ભાસ્કર, Video શેર કરીને કહ્યુ, પ્લીઝ હેલ્પ

માનવ સંશાધન મંત્રાલયે જેએનયુ પાસે માંગ્યો રિપોર્ટ
વળી, માનવ સંશાધન તેમજ વિકાસ મંત્રાલયે પણ તાત્કાલિક જેએનયુ પ્રશાસન પાસે રિપોર્ટ માંગ્યો છે. કેમ્પસમાં હિંસાની તપાસની જવાબદારી જોઈન્ટ સીપી (વેસ્ટર્ન રેન્જ) શાલિની સિંહને આપવામાં આવી છે. આ તરફ કેમ્પસમાં સ્થિતિ કાબુમાં છે. ભારે સંખ્યામં પોલિસ બળ જેએનયુ કેમ્પસની બહાર તૈનાત છે. વળી, એમ્સ તરફથી માહિતી આપવામાં આવી છે કે બધા છાત્રોને ઈલાજ બાદ છુટ્ટી આપી દેવામાં આવી છે. મારપીટમાં ઘાયલ છાત્રોને મોડી સાંજે એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.