JNU હિંસા પર વીસી જગદીશકુમારે તોડ્યુ મૌન, જણાવ્યુ - કેમ્પસમાં કેમ બેકાબુ થઈ સ્થિતિ
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બુકાનીધારી બદમાશોએ ઘણા છાત્રોને ખૂબ જ ખરાબ રીતે માર્યા હતા. સમગ્ર મામલે જેએનયુના વીસી જગદીશ કુમારનુ નિવેદન પણ આવ્યુ છે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બુકાનીધારી બદમાશોએ ઘણા છાત્રોને ખૂબ જ ખરાબ રીતે માર્યા હતા. સૂત્રો મુજબ આ મામલે દિલ્લી પોલિસે એફઆઈઆર નોંધી લીધી છે. કેમ્પસમાં ઘૂસેલા બુકાનીધારી બદમાશોએ શિક્ષકોને પણ નિશાન બનાવ્યા હતા. વળી, સમગ્ર મામલે જેએનયુના વીસી જગદીશ કુમારનુ નિવેદન પણ આવ્યુ છે. તેમણે કહ્યુ કે યુનિવર્સિટીની પહેલી પ્રાથમિકતા સંસ્થા અને છાત્રોની સુરક્ષા છે.

જેએનયુ વીસીએ શાંતિ જાળવી રાખવાની કરી અપીલ
જેએનયુના છાત્રોને વીસી એમ જગદીશ કુમારે બધા છાત્રોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી. તેમણે કહ્યુ કે યુનિવર્સિટી પોતાના છાત્રો સાથે જ છે અને આશ્વસ્ત કરવામાં આવે છે કે વિંટર સેમેસ્ટર કોઈ પણ અડચણ વિના પૂરુ થશે. તેમણે કહ્યુ કે જેએનયુમાં અમુક આંદોલનકારી છાત્રોના હિંસક હોવા અને મોટી સંખ્યામાં બિન પ્રદર્શનકારી છાત્રોની શૈક્ષણિક ગતિવિધિઓને અટકાવવાના કારણે આવી સ્થિતિ પેદા થઈ. તેમણે શિયાળુ સેમેસ્ટર રજિસ્ટ્રેશનને અટકાવવા માટે યુનિવર્સિટી કમ્યૂનિકેશન સર્વરને નુકશાન પહોંચાડ્યુ.
|
શિયાળુ સેમેસ્ટર રજિસ્ટ્રેશન કોઈ પણ સ્થિતિમાં થશે પૂરુ - વીસી
જેએનયુ કેમ્પસની અંદર બુકાનીધારી બદમાશો દ્વારા કરવામાં આવેલી મારપીટની ઘટના પર ગૃહ મંત્રાલયે જાણવાજોગ લીધુ છે. ગૃહ મંત્રી અમિત શાહે દિલ્લી પોલિસ કમિશ્નર અમૂલ્ય પટનાયક સાથે વાત કરી અને સ્થિતિની ચકાસણી કરી. સાથે જ તેમણે આખી ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યુ કે આ હિંસાની વરિષ્ઠ અધિકારીઓ પાસે તપાસ કરાવવામાં આવે અને જલ્દી રિપોર્ટ રજૂ કરવામાં આવે, જે પણ જરૂરી પગલા હોય તે લેવામાં આવે.

માનવ સંશાધન મંત્રાલયે જેએનયુ પાસે માંગ્યો રિપોર્ટ
વળી, માનવ સંશાધન તેમજ વિકાસ મંત્રાલયે પણ તાત્કાલિક જેએનયુ પ્રશાસન પાસે રિપોર્ટ માંગ્યો છે. કેમ્પસમાં હિંસાની તપાસની જવાબદારી જોઈન્ટ સીપી (વેસ્ટર્ન રેન્જ) શાલિની સિંહને આપવામાં આવી છે. આ તરફ કેમ્પસમાં સ્થિતિ કાબુમાં છે. ભારે સંખ્યામં પોલિસ બળ જેએનયુ કેમ્પસની બહાર તૈનાત છે. વળી, એમ્સ તરફથી માહિતી આપવામાં આવી છે કે બધા છાત્રોને ઈલાજ બાદ છુટ્ટી આપી દેવામાં આવી છે. મારપીટમાં ઘાયલ છાત્રોને મોડી સાંજે એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
