પંજાબમાં સરકારી આઈટી ફાઝિલકામાં રોજગાર મેળો, મોટી સંખ્યામાં ઉમેદવારોએ લીધો ભાગ
પંજાબમાં સરકાર રોજગાર મેળાનુ આયોજન કરી રહી છે. ગઈકાલે સરકારી આઈટી ફાઝિલકા ખાતે રોજગાર મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
પંજાબમાં સરકાર રોજગાર મેળાનુ આયોજન કરી રહી છે. ગઈકાલે સરકારી આઈટી ફાઝિલકા ખાતે રોજગાર મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આઈટીસી કંપની કપૂરથલા ખાસ પહોંચી હતી. આ જોબફેરમાં પ્લેસમેન્ટ ઑફિસર મદન લાલે જણાવ્યુ હતુ કે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ છે અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ મેળો આચાર્ય હરદીપ કુમારના સક્ષમ નેતૃત્વ હેઠળ યોજાયો હતો.
આ મેળામાં સૌ પ્રથમ ઉમેદવારોની નોંધણી કરવામાં આવી હતી. જેમાં નવજોત કૌર અંગ્રેજી શિક્ષક અને પલ્લવી ગુપ્તાનુ મહત્વનુ યોગદાન હતુ. કંપની તરફથી આવેલા મેનેજર એચઆર આશિષ શર્માએ પહેલા ઉમેદવારોની લેખિત કસોટી લીધી હતી અને બાદમાં ઈન્ટરવ્યુ માટે સંપર્ક કર્યો હતો. જેમાં મિકેનિક, મોટર વ્હીકલ, મશિનિસ્ટ, ફિટર ઈલેક્ટ્રિશિયન અને એક્સટર્નલ આઈટીઆઈના ઉમેદવારોએ પણ ભાગ લીધો હતો.
ITI ફરીદકોટમાંથી આવેલા વિદ્યાર્થી સુખદીપ ગોનેનાએ જણાવ્યુ કે આ મેળો શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો. આ મેળામાં ITC કંપની કપૂરથલા દ્વારા 20 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ મેળામાં પ્રોગ્રામ ઑફિસર ગુરજંત સિંઘ સહિતનો ગ્રુપ સ્ટાફ હાજર રહ્યો હતો.