સર્જીકલ સ્ટ્રાઇકના વીડિયો ફૂટેજ માટે બસ થોડી રાહ જુઓ: રાજનાથ સિંહ
સેના તરફથી એલઓસીની અંદર ઘૂસીને કરાયેલા સર્જીકલ સ્ટ્રાઇકનો વીડિયો ફૂટેજ તૈયાર કરાયો હતો. આ વીડિયો ફૂટેજને લઇને પાકિસ્તાને પણ ભારત સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. આને લઇને જ્યારે મીડિયાએ ગૃહમંત્રી રાજનાથ સિંહને સવાલ કર્યા તો તેમણે માત્ર એટલું જ કહ્યું કે બસ થોડી રાહ જુઓ.

રાજનાથસિંહે કહ્યું કે સર્જીકલ સ્ટ્રાઇક દરમિયાન ભારતીય સૈનિકોએ અદ્દ્ભૂત સાહસ અને પરાક્રમનો પરિચય આપ્યો હતો. ભારતીય સેનાના આ ઑપરેશનની સફળતા બાદ આખા વિશ્વમાં તેમના સાહસની પ્રશંસા થઇ રહી છે.
રાજનાથસિંહે કહ્યું કે સર્જીકલ સ્ટ્રાઇક દરમિયાન જેવી રીતે સેનાના જવાનોએ અદ્ધભૂત પરાક્રમ બતાવ્યું તેનાથી દેશ ગૌરવાંવિત થયો છે. જો વાત ઑપરશનના વીડિયો ફૂટેજની કરીએ તો તેના માટે બસ થોડી રાહ જુઓ અને જોતા રહો. વળી, રાજનાથસિંહે પાકિસ્તાની મીડિયાના તે રિપોર્ટનો રદિયો આપ્યો છે કે ભારતના સર્જીકલ સ્ટ્રાઇક દરમિયાન ભારતીય જવાનની મોત થઇ છે.












Click it and Unblock the Notifications
