કાબુલમાં થયેલા બૉમ્બ ધમાકાની ભારતે કરી નિંદા, કહ્યુ - આતંકવાદ સામે એક થવાની જરૂર
કાબુલમાં થયેલા બૉમ્બ ધમાકાની ભારતે કરી નિંદા, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ.
નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનની સત્તા કબજે કર્યાબાદ રાજધાની કાબુલ હાલમાં ઘણા સંઘર્ષો સામે ઝઝૂમી રહ્યુ છે. સત્તામાં રહી ચૂકેલ મંત્રીથી લઈને નેતા બધા પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયા છે. આ પહેલા રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ચૂક્યા હતા. બીજા દેશો પણ પોતાના લોકો સાથે અફઘાનિસ્તાનના લોકોને એરલિફ્ટ કરવામાં લાગ્યા છે. આ દરમિયાન રાજધાની કાબુલમાં ગુરુવારે સીરિયલ બૉમ્બ બ્લાસ્ટથી હચમચી ગયુ છે જેમાં અત્યાર સુધી 60 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વળી, લગભગ 120 લોકોના ઘાયલ થયાની સૂચના છે.
તમને જણાવી દઈએ કે આ ધમાકામાં અમેરિકાના 12 સૈનિકોના પણ મોત થયા છે જ્યારે 15 ઘાયલ છે. આ બૉમ્બ બ્લાસ્ટની ભારતે આકરી નિંદા કરી છે. વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે ભારત કાબુલમાં થયેલા બૉમ્બ ધમાકાની આકરી નિંદા કરે છે. અમે આ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરીએ છીએ. આજનો હુમલો ફરીથી એ વાતને મજબૂત કરે છે કે આતંકવાદ અને આતંકવાદીઓને શરણ આપનાર સામે દુનિયાએ એક થવાની જરૂર છે.
આ તરફ ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ આ બૉમ્બ ધમાકાની જવાબદારી આઈએસઆઈએસે લીધી છે. કાબુલમાં અમેરિકી દૂતાવાસે ગુરુવારે કાબુલમાં હામિદ કરજઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બાહર બે વિસ્ફોટો બાદ અમેરિકી નાગરિકોને એરપોર્ટની યાત્રા કરવાની ટાળવા અને એરપોર્ટના ફાટકોથી બચવા માટે એક સુરક્ષા એલર્ટ જાહેર કરી છે. આ ધમાકા બાદ અમેરિકી રક્ષા સચિવ લૉય઼ જે ઑસ્ટિને કહ્યુ કે હું કાબુલમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા બધા લોકોના પ્રિયજનો અને ટીમના સાથીઓ પ્રત્યે પોતાની ઉંડી સંવેદના વ્યક્ત કરુ છુ. અમને વર્તમાન સ્થિતિમાં પણ પોતાનુ કામ કરવાથી રોકી ન શકાય.