કંગનાની સૌથી મોટી ફેનનું હિમાચલ ભુસ્ખલનમાં મોત, કંગનાએ દુખ વ્યક્ત કર્યુ
અભિનેત્રી કંગના રાનાવત અને વિવાદને જુનો નાતો છે, સોશિયલ મીડિયામાં ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે કે કંગનાના નામની ચર્ચા ન હોય, આજે પણ કંગના સમાચારમાં છે પરંતુ તેનું કારણ કંઈક બીજુ છે.
અભિનેત્રી કંગના રાનાવત અને વિવાદને જુનો નાતો છે, સોશિયલ મીડિયામાં ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે કે કંગનાના નામની ચર્ચા ન હોય, આજે પણ કંગના સમાચારમાં છે પરંતુ તેનું કારણ કંઈક બીજુ છે. એક એવા સમાચાર આવ્યા છે, જેને સાંભળીને કંગનાએ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યુ છે. કંગના રાણાવતની સૌથી મોટી ફેનનું હિમાચલ ભુસ્ખલનમાં મોત થયુ છે.
ઘટના એવી છે કે, હિમાચલ પ્રદેશની સાંગલા ઘાટી થયેા ભુસ્ખલનમાં 9 પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતાં. તેમાંથી એક કંગના રાનાઉતની ચાહક પણ હતી. આ ચાહકનું નામ દિપા શર્મા છે અભિનેત્રી કંગનાએ અકસ્માતનો ભોગ બનેલા પોતાની ચાહક દીપા શર્માને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે લખ્યું છે કે, દીપા તેની મોટી ફેન હતી અને ઘણી વખત તે મને ફૂલો, પત્રો, ભેટ અને મીઠાઈઓ મોકલતી હતી. કંગનાએ વઘુમાં જણાવ્યુ હતુ કે, તે મારા ઘરે મનાલી મને મળવા માટે આવી હતી, આ એક મોટો આંચકો છે. આ સમાચાર દુ .ખદ છે. કંગના રાનાવતની આ પોસ્ટ પછી ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે અને ફેન્સ પ્રત્યેની સહાનુભૂતિની ચર્ચા કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, કંગના હાલમાં ધાકડ, થલાઈવી અને તેજસ જેવી ફિલ્મોમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે તે મણિકર્ણિકા-2 બનાવવા જઈ રહી છે. કંગના રાનાવતનાં ચાહકો લાંબા સમયથી તેની આગામી ફિલ્મ્સના રિલીઝની રાહ જોઈ રહ્યા છે