કંગનાની ફરી જીભ લપસી, ગાંધીને સત્તા ભુખ્યા કહ્યા!
કંગના રાણાવતે ફરી એકવાર મહાત્મા ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લાંબા મેસેજ પોસ્ટ કર્યા છે. આ પોસ્ટમાં મહાત્મા ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.
કંગના રાણાવતે ફરી એકવાર મહાત્મા ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લાંબા મેસેજ પોસ્ટ કર્યા છે. આ પોસ્ટમાં મહાત્મા ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. આ મેસેજમાં કંગનાએ ગાંધીજીને સત્તાના ભૂખ્યા અને ચાલાક ગણાવ્યા છે, જ્યારે બીજી પોસ્ટમાં લખ્યું છે કે ગાંધીજી ભગત સિંહને ફાંસી અપાવવા માંગતા હતા. કંગનાએ લોકોને તેમના હીરોને સમજદારીથી પસંદ કરવાની સલાહ આપી છે. તેણે એમ પણ લખ્યું છે કે થપ્પડ મારનાર સામે બીજો ગાલ ફેરવવાથી સ્વતંત્રતા મળતી નથી.

કંગનાના પાછલા નિવેદન પર હંગામો હજુ અટક્યો નથી, આ દરમિયાન તેણે કેટલીક વધુ વાંધાજનક પોસ્ટ કરી છે. કંગનાએ લખ્યું છે કે, જે લોકો આઝાદી માટે લડ્યા હતા તેમને આ લોકોએ તેમના માલિકોએ સોંપી દીધા હતા, જેમની પાસે હિંમત ન હતી અને લોહીમાં ઉબાલ નહોતો. તે સત્તાના ભૂખ્યા અને ચાલાક હતા. તેને જ શીખવ્યું કે જો કોઈ તમને થપ્પડ મારે તો બીજી થપ્પડ માટે તેની સામે બીજો ગાલ ફેરવો અને આ રીતે તમને આઝાદી મળશે. તમારા હીરોને કુશળતાપૂર્વક પસંદ કરો.
કંગનાએ બીજી પોસ્ટમાં લખ્યું છે કે, ગાંધીજીએ ક્યારેય ભગત સિંહ અને નેતાજીનું સમર્થન કર્યું નથી. એવા ઘણા પુરાવા છે જે દર્શાવે છે કે ગાંધીજી ભગતસિંહને ફાંસી આપવા માંગતા હતા. તેથી તમારે પસંદ કરવું પડશે કે તમે કોને ટેકો આપો છો. કારણ કે એ બધાને તમારી સ્મૃતિના એક જ ડબ્બામાં રાખવા અને તેમની જન્મજયંતિ પર યાદ કરવા પૂરતું નથી, સાચું કહું તો એ મૂર્ખતા નથી પણ બેજવાબદારીભરી અને ઉપરછલ્લી વાત છે. લોકોને તેમનો ઈતિહાસ અને તેમના હીરોની ખબર હોવી જોઈએ.
હાલમાં જ ટાઈમ્સ નાઉ સમિટમાં કંગનાએ નિવેદન આપ્યું હતું કે દેશને વાસ્તવિક આઝાદી 2014માં મળી હતી. આ પહેલા ગાંધીજીએ કટોરામાં ભીખ માંગીને આઝાદી મેળવી હતી. તેમણે કોંગ્રેસને બ્રિટિશ શાસનનું આગામી સ્વરૂપ ગણાવ્યું હતું.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?












Click it and Unblock the Notifications
