Kanjhawala Case: મૃતક અંજલિના ઘરે થઈ ચોરી, પરિવારજનોએ દોસ્ત નિધિ પર લગાવ્યો આરોપ
દિલ્લીના ચકચારી કાંઝાવાલા કેસમાં મૃતક અંજલિના ઘરે ચોરી થઈ છે અને પરિવારજનોએ દોસ્ત નિધિ પર આરોપ લગાવ્યો છે.
Kanjhawala Case: દિલ્લીના કાંઝવાલા-સુલતાનપુરીમાં 31 ડિસેમ્બરની રાતે 20 વર્ષીય અંજલિની સ્કૂટીને ટક્કર મારી તેને ઘણા કિલોમીટર સુધી ઢસડી જવાના કેસમાં મૃતકના પરિવારજનોએ દોસ્ત નિધિ પર બીજા એક આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે તેમના ઘરે ચોરી થઈ છે. મૃતકના ઘરવાળાઓ આરોપ લગાવ્યો કે નિધિ પોતાનો સામાન તેમના ઘરમાં રાખવા માંગે છે.
તમને જણાવી દઈએ કે દિલ્લી પોલીસ અંજલિના ઘરે જઈને તપાસ કરી રહી છે. હજુ એ ખબર નથી કે ઘરમાંથી કયો સામાન ગાયબ છે. મૃતક અંજલિના પરિવારે એ પણ સવાલ પૂછ્યો કે કાલે તેમના ઘર પાસે પોલીસ કેમ તૈનાત નહોતી. અંજલિના પરિવારની અનુએ પડોશીઓને ચોરી વિશે જણાવ્યુ હતુ. આ નિધિનુ ષડયંત્ર છે. એ પકડાઈ જવાના ડરથી પોતાનો સામાન અમારા ઘરમાં રખાવવા માંગે છે. 8 દિવસથી પોલીસ બધે જ હતી પણ ગઈકાલે જ કેમ ન હતી? જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે ઘરમાંથી સામાન ચોરાઈ ગયો છે કે કોઈએ ત્યાં કંઈક રાખ્યુ છે. દિલ્લી પોલીસની ટીમ તેની તપાસ કરી રહી છે. અંજલિના ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરે અંજલિ અને નિધિ બંને સાથે હતા. તે રોહિણીની એક હોટલમાં ગયા હતા. નિધિએ દાવો કર્યો હતો કે તે રાત્રે અંજલિએ દારૂ પીધો હતો. તે વારંવાર સ્કૂટી ચલાવવાની જીદ કરી રહી હતી. તેથી તેણે પાછળ બેસી જવુ પડ્યુ. કાર સાથે ટક્કર થયા બાદ તે નીચે પડી ગઈ હતી, જ્યારે અંજલિને કાર ઢસડી ગઈ હતી. જોકે, અંજલિના પરિવારજનોએ તેમના આરોપોને ફગાવી દીધા છે.
તમને જણાવી દઈએ કે નિધિની 2020માં આગ્રામાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPC)એક્ટ હેઠળ ડ્રગ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. નિધિ આગ્રા રેલવે સ્ટેશન પર તેલંગાણાથી કથિત રીતે ગાંજો લઈ જતા પકડાઈ હતી. આ કેસમાં તે જામીન પર બહાર છે.