પિયુષ જૈનને આજે કોર્ટમાં કરવામાં આવશે હાજર, ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવશે અમદાવાદ
પિયુષ જૈનને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે ત્યારબાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવવામાં આવશે.
કાનપુરઃ કાનપુરના અત્તરના વેપારી અને કન્નૌજના ધનકુબેર ગણાતા પિયુષ જૈનની રવિવારે રાતે ડીજીસીઆઈની ટીમે ધરપકડ કરી લીધી. રાતે જ પિયુષ જૈનનુ મેડિકલ કરાવવામાં આવ્યુ. પિયુષ જૈનને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે ત્યારબાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લઈ જવામાં આવશે. રિમાન્ડ પર પિયુષ જૈન પાસેથી મળેલા કરોડો રૂપિયાના કેશ, સોના, ચાંદીના સ્ત્રોતો વિશે પૂછપરછ કરવામાં આવશે.

પિયુષ જૈન કોણ છે?
પિયુષ જૈન કન્નૌજનો મોટો વેપારીઓમાં ગણાય છે. પિયુષ જૈન અત્તરનો મોટો વેપારી છે. તેને કન્નૌજનો ધનકુબેર પણ કહેવામાં આવે છે. પિયુષ જૈન 40થી વધુ કંપનીઓનો માલિક છે. આમાંથી બે કંપનીઓ મિડલ ઈસ્ટમાં છે. કન્નૌજનમાં પિયુષ જૈનની પરફ્યુમની ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલ પંપ પણ છે. મુંબઈમાં પિયુષ જૈનની હેડ ઑફિસ અને એક બંગલો પણ છે. પિયુષ જૈન અત્તરનો બિઝનેસ મુંબઈથી કરે છે. અહીંથી તેમનુ અત્તર વિદેશોમાં પણ મોકલવામાં આવે છે.

જપ્ત કરવામાં આવ્યા 187.45 કરોડ રૂપિયા
પિયુષ જૈનના કાનપુર સ્થિત ઘરે ડીજીજીઆઈ અને આઈટીની સંયુક્ત ટીમે 23 ડિસેમ્બરની સવારે રેડ પાડી હતી. 24 ડિસેમ્બરની સાંજ સુધી ટીમે 177 કરોડ રુપિયા જપ્ત કર્યા હતા. પિયુષના ઘરમાંથી મળેલ કેશ જોઈને અધિકારીઓના પણ હોશ ઉડી ગયા હતા. કેશ ગણવા માટે 14 મશીનો અને એસબીઆઈના અધિકારીઓની મદદ લેવામાં આવી. 24 ડિસેમ્બરની સાંજે એક ટીમ પિયુષના દીકરા પ્રત્યુશને લઈને કન્નૌજ સ્થિત ઘરે પહોંચી જ્યાં ભોયરામાંથી રુપિયાથી ભરેલી આઠ બોરી અને એક બોક્સમાં સોનાના બિસ્કિટ મળ્યા. બોરીમાં મળેલી કેશની ગણતરી માટે અધિકારીઓએ નોટો ગણતરી કરતી મશીનો મંગાવી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ અહીં લગભગ 10 કરોડ રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ કુલ 187.45 કરોડ રૂપિયાની જપ્તી પિયુષ જૈનના ઘરમાંથી થઈ ચૂકી છે.

પિયુષ જૈન આજે કોર્ટમાં થશે હાજર
પિયુષ જૈનની રવિવારે મોડી રાતે ધરપકડ કરી લેવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે પિયુષ જૈનને જીએસટી ઈન્ટેલીજન્સના અધિકારીઓએ કરચોરીના આરોપમાં ધરપકડ કરી છે. આજે તેને અદાલતમાં હાજર કરવામાં આવશે. તેમણે કહ્યુ કે અત્તર ઉદ્યોગપતિને આગળની કાર્યવાહી માટે કાનપુરથી અમદાવાદ લઈ જવાની સંભાવના છે. ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સના જોઈન્ટ કમિશ્નર(કાનપુર) સુરેન્દ્રકુમારે રવિવારે રાતે કહ્યુ હતુ કે જૈનની ટેક્સ ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
