હું હવે ક્યારેય પણ જસ્ટિસ દિપક મિશ્રાની કોર્ટમાં નહીં જાઉં
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તેઓ સુપ્રીમકોર્ટ ના મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાની કોર્ટમાં કોઈ પણ મામલે પેરવી કરવા નહીં જાય.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તેઓ સુપ્રીમકોર્ટ ના મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાની કોર્ટમાં કોઈ પણ મામલે પેરવી કરવા નહીં જાય. તેમને કહ્યું કે જસ્ટિસ દિપક મિશ્રાના બચેલા કાર્યકાલમાં તેઓ તેમની કોર્ટમાં જશે નહીં. આપણે જણાવી દઈએ કે સીજેઆઈ દિપક મિશ્રા વિરૂદ્ધ કોંગ્રેસના 63 સાંસદ પ્રસ્તાવ લઈને આવ્યા છે. જસ્ટિસ દિપક મિશ્રાની કોર્ટમાં કપિલ સિબ્બલ ઘણા અગત્યના મામલાની પેરવી કરી ચુક્યા છે.

કપિલ સિબ્બલે જણાવ્યું કે જ્યાં સુધી જસ્ટિસ દિપક મિશ્રા રીટાયર નહીં થાય ત્યાં સુધી તેઓ તેમની કોર્ટમાં નહીં જાય કારણકે તેઓ પોતાના પ્રોફેશનમાં ઉચ્ચ માનકોનું પાલન કરે છે. તેમને જણાવ્યું કે જો સીજેઆઈ રીટાયર થવા સુધી કામ કરતા રહે અને કોઈ જાંચ અંગે શરૂઆત કરવામાં આવી તો તેમની કોર્ટમાં કોઈ પણ મામલે તેઓ પેરવી કરવા નહીં જાય.
ચિદંબરમના સવાલ પર આપ્યો જવાબ
જયારે કપિલ સિબ્બલને પૂછવામાં આવ્યું કે આખરે કેમ તેમના સાથી પી ચિદંબરમ સહીત ઘણા લોકોએ સીજેઆઈ વિરુદ્ધ પ્રસ્તાવ પર સહી કેમ નથી કરી. તેના જવાબમાં તમને જણાવ્યું કે અમે પી ચિદંબરમને આ પ્રસ્તાવ પર સહી કરવા માટે ના પાડી હતી કારણકે તેમના કેટલાક કેસ કોર્ટ માં છે અને હું તેમનો વકીલ છું. સિબ્બલે જણાવ્યું કે આ ચિદંબરમ માટે નુકશાનકારક છે કારણકે હું તેમના માટે હવે કોર્ટમાં નહીં જાઉં.
ચેરમેન પાસે નથી અધિકાર
સીજેઆઈ વિરુદ્ધ પ્રસ્તાવ જો રાજ્યસભા ચેરમેને રદ કરી દીધો તો શુ કરશે તેના જવાબમાં તેમને જણાવ્યું કે તેમની પાસે આવા કોઈ અધિકાર નથી. આ જજ એક્ટ હેઠળ કમિટી પર આધાર રાખશે કે તેઓ જજો વિરુદ્ધ જાંચ મામલે કેવી કાર્યવાહી કરે છે. તેઓ મામલો રદ નથી કરી શકતા તેઓ પ્રક્રિયા પર નિર્ણય લઇ શકે છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
