કપિલ સિબ્બલનુ પીએમ મોદી પર નિશાન, કહ્યુ - ગુજરાતથી દિલ્લી પહોંચેલા નેતા ગાંધીજી વિશે કંઈ નથી જાણતા
ગાંધી જયંતિના પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.
અમદાવાદઃ ગાંધી જયંતિના પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. અમદાવાદ પહોંચેલા કપિલ સિબ્બલે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે જે નેતા ગુજરાતથી દિલ્લી પહોંચ્યા છે તે કદાચ ગાંધીજી વિશે બહુ ઓછુ જાણે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાકપિલ સિબ્બલે કહ્યુ કે ગાંધીજી કહેતા હતા કે માત્ર ઈશ્વર છે અને ઈશ્વર જ સત્ય છે, હું મોદીજીને પૂછવા માંગુ છે કે તમારી સચ્ચાઈ ક્યાં છે? તમારા શબ્દોમાં પણ જૂઠ હોય છે અને કામોમાં પણ.

બાપૂને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા પીએમ મોદી
તમને જણાવી દઈએ કે 152મી ગાંધી જયંતિ નિમિત્તે શનિવારે પીએમ મોદીએ રાજઘાટ જઈને ગાંધીજીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ પીએમ મોદી લાલ બહાદૂર શાસ્ત્રીજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. રાજઘાટ જતા પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે મહાત્મા ગાંધીનુ જીવન દરેક પેઢીને પ્રેરિત કરશે. પીએમ મોદીએ એક અન્ય ટ્વિટમાં કહ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીજીને તેમની જયંતિ પર શત-શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનુ જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે.
પંજાબ કોંગ્રેસ ઘટનાક્રમ પર બોલ્યા હતા સિબ્બલ
વળી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાકપિલ સિબ્બલ હાલમાં જ કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ સામે અવાજ ઉઠાવવાને લઈને ચર્ચામાં આવ્યા છે. પંજાબ કોંગ્રેસમાં થઈ રહેલ રાજકીય ઘમાસાણ પર કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે પાર્ટીમાં જેને મુશ્કેલીઓ છે તે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે. આ રીતે પાર્ટીની જાહેરમાં અપમાન કરવુ યોગ્ય નથી. સિબ્બલે કહ્યુ હતુ કે એક સીમાવર્તી રાજ્ય(પંજાબ) જ્યાં કોંગ્રેસ પાર્ટી સાથે આવુ થઈ રહ્યુ છે, આનો અર્થ શું છે? આનાથી આઈએસઆઈ અને પાકિસ્તાનને ફાયદો છે. કોંગ્રેસે સુનિશ્ચિત કરવુ જોઈએ કે તે એકજૂટ રહે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે કેરળમાં પણ આપણા ઘણા સાંસદો અને ધારાસભ્યોએ પાર્ટી છોડી છે. આપણે ખુદને એ પૂછવુ જોઈએ કે આવુ કેમ થઈ રહ્યુ છે, કદાચ આપણી જ કોઈ ભૂલ છે. સિબ્બલના આ નિવેદન બાદ તેમને પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
