કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરારના સવાલ પર ભડક્યા કુમારસ્વામી, બોલ્યા ફેક ન્યૂઝ
કર્ણાટકના મુખ્યમંત્રીની શપથ લેતા પહેલા કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરારના સમાચારો પર કુમારસ્વામીએ કહ્યું કે આ ખોટા સમાચાર છે.
કર્ણાટકના મુખ્યમંત્રીની શપથ લેતા પહેલા કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરારના સમાચારો પર કુમારસ્વામીએ કહ્યું કે આ ખોટા સમાચાર છે. કુમારસ્વામીને જ્યારે કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરાર વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે પૂછ્યુ કે તમને આ કોણે કહ્યુ, આ ખોટા સમાચાર છે, આ બિલકુલ યોગ્ય નથી. તેમણે કોઈ પણ પ્રકારની તકરારનો ઈનકાર કરતાં કહ્યુ કે બંને પક્ષો વચ્ચે બધુ બરાબર છે.

તમને જણાવી દઈએ કે કુમારસ્વામી બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે અને કર્ણાટકની સત્તા સંભાળશે. કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા બાદ કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનું એલાન કર્યુ હતુ. ત્યારબાદ કુમારસ્વામીનું મુખ્યમંત્રી બનવાનું નક્કી થઈ ગયુ હતુ. પરંતુ આ દરમિયાન જે રીતે ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર યેદુરપ્પાએ પોતાની દાવેદારી કરી અને શપથ ગ્રહણ કર્યા તે બાદ સુપ્રિમે 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો ચૂકાદો સંભળાવ્યો.
સુપ્રિમ કોર્ટના ફ્લોર ટેસ્ટના ચૂકાદા બાદ યેદુરપ્પાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો. તમને જણાવી દઈએ કે કુમારસ્વામીએ આજે તિરુપતિ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા, ત્યારબાદ તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. માનવામાં આવી રહ્યુ છે કે આ મુલાકાત દરમિયાન કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની મિલીઝૂલી સરકારથી જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વાત કરવામાં આવી શકે છે.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?





Click it and Unblock the Notifications
