કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરારના સવાલ પર ભડક્યા કુમારસ્વામી, બોલ્યા ફેક ન્યૂઝ
કર્ણાટકના મુખ્યમંત્રીની શપથ લેતા પહેલા કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરારના સમાચારો પર કુમારસ્વામીએ કહ્યું કે આ ખોટા સમાચાર છે.
કર્ણાટકના મુખ્યમંત્રીની શપથ લેતા પહેલા કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરારના સમાચારો પર કુમારસ્વામીએ કહ્યું કે આ ખોટા સમાચાર છે. કુમારસ્વામીને જ્યારે કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરાર વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે પૂછ્યુ કે તમને આ કોણે કહ્યુ, આ ખોટા સમાચાર છે, આ બિલકુલ યોગ્ય નથી. તેમણે કોઈ પણ પ્રકારની તકરારનો ઈનકાર કરતાં કહ્યુ કે બંને પક્ષો વચ્ચે બધુ બરાબર છે.

તમને જણાવી દઈએ કે કુમારસ્વામી બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે અને કર્ણાટકની સત્તા સંભાળશે. કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા બાદ કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનું એલાન કર્યુ હતુ. ત્યારબાદ કુમારસ્વામીનું મુખ્યમંત્રી બનવાનું નક્કી થઈ ગયુ હતુ. પરંતુ આ દરમિયાન જે રીતે ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર યેદુરપ્પાએ પોતાની દાવેદારી કરી અને શપથ ગ્રહણ કર્યા તે બાદ સુપ્રિમે 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો ચૂકાદો સંભળાવ્યો.
સુપ્રિમ કોર્ટના ફ્લોર ટેસ્ટના ચૂકાદા બાદ યેદુરપ્પાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો. તમને જણાવી દઈએ કે કુમારસ્વામીએ આજે તિરુપતિ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા, ત્યારબાદ તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. માનવામાં આવી રહ્યુ છે કે આ મુલાકાત દરમિયાન કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની મિલીઝૂલી સરકારથી જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વાત કરવામાં આવી શકે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
