કર્ણાટક મુસ્લિમ અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે, કોર્ટે અરજી સ્વીકારી
નવી દિલ્હી : એક તરફ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ સહિતના પક્ષો મુસ્લિમ અનામતને લઈને રાજનીતિ કરી રહ્યા છે તો બીજી તરફ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારીને સુનાવણી કરવા હા કહી છે.
કર્ણાટકની બીજેપી સરકારે મુસ્લિમોને મળતા 4 ટકા અનામક ક્વોટાને ખતમ કરવાની જાહેરાત કરી હતી. આ 4 ટકા અનામને વોક્કાલિગા અને લિંગાયતોને 2-2 ટકા વધારાની અનામત આપી છે. હવે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે અને સુપ્રીમ કોર્ટે અરજીનો સ્વીકાર કર્યો છે.

કર્ણાટક સરકારે નોકરી અને શિક્ષણમાં અનામત માટે બે નવી શ્રેણીની જાહેરાત કરી અને અન્ય પછાત વર્ગોમાં મુસ્લિમો માટે ચાર ટકા ક્વોટા નાબૂદ કર્યો છે. આ ચાર ટકા OBC મુસ્લિમ ક્વોટા હવે વોક્કાલિગા અને લિંગાયતોમાં વહેચી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણયથી અનામત 57 ટકા થઈ ગઈ છે. ક્વોટા માટે પાત્ર મુસ્લિમોને હવે EDBSU એટલે કે આર્થિક રીતે નબળા વિભાગો હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે મુસ્લિમો માટે અનામત અંગેની અરજી અંગે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની રજૂઆતની નોંધ લીધી છે. સિબ્બલની દલીલો પર કહ્યું કે, અરજીમાં તમામ ખામીઓ દૂર કરવામાં આવી છે.
બીજી તરફ CJIએ કહ્યું કે પિટિશનમાં ખામીઓ સુધારવામાં આવી નથી ત્યારે કપિલ સિબ્બલે જવાબ આપ્યો કે તમામ ખામીઓ સુધારી લેવામાં આવી છે. જે પછી બેન્ચે કહ્યું ઠીક છે, અમે આ અરજીને લિસ્ટ કરીશું.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
