કર્ણાટક મુસ્લિમ અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે, કોર્ટે અરજી સ્વીકારી
નવી દિલ્હી : એક તરફ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ સહિતના પક્ષો મુસ્લિમ અનામતને લઈને રાજનીતિ કરી રહ્યા છે તો બીજી તરફ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારીને સુનાવણી કરવા હા કહી છે.
કર્ણાટકની બીજેપી સરકારે મુસ્લિમોને મળતા 4 ટકા અનામક ક્વોટાને ખતમ કરવાની જાહેરાત કરી હતી. આ 4 ટકા અનામને વોક્કાલિગા અને લિંગાયતોને 2-2 ટકા વધારાની અનામત આપી છે. હવે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે અને સુપ્રીમ કોર્ટે અરજીનો સ્વીકાર કર્યો છે.

કર્ણાટક સરકારે નોકરી અને શિક્ષણમાં અનામત માટે બે નવી શ્રેણીની જાહેરાત કરી અને અન્ય પછાત વર્ગોમાં મુસ્લિમો માટે ચાર ટકા ક્વોટા નાબૂદ કર્યો છે. આ ચાર ટકા OBC મુસ્લિમ ક્વોટા હવે વોક્કાલિગા અને લિંગાયતોમાં વહેચી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણયથી અનામત 57 ટકા થઈ ગઈ છે. ક્વોટા માટે પાત્ર મુસ્લિમોને હવે EDBSU એટલે કે આર્થિક રીતે નબળા વિભાગો હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે મુસ્લિમો માટે અનામત અંગેની અરજી અંગે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની રજૂઆતની નોંધ લીધી છે. સિબ્બલની દલીલો પર કહ્યું કે, અરજીમાં તમામ ખામીઓ દૂર કરવામાં આવી છે.
બીજી તરફ CJIએ કહ્યું કે પિટિશનમાં ખામીઓ સુધારવામાં આવી નથી ત્યારે કપિલ સિબ્બલે જવાબ આપ્યો કે તમામ ખામીઓ સુધારી લેવામાં આવી છે. જે પછી બેન્ચે કહ્યું ઠીક છે, અમે આ અરજીને લિસ્ટ કરીશું.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
