Karnataka New CM : સિદ્ધારમૈયાની 5 ખાસિયતો, જેના કારણે મળી CMની ખુરશી
Karnataka New CM : કોંગ્રેસ પાર્ટી દ્વારા કર્ણાટકના મુખ્યમંત્રીના નામ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાર્ટી હાઇ કમાન્ડ દ્વારા સિદ્ધારમૈયા પર ભરોસો મુકીને તેમને મુખ્યમંત્રી બનાવ્યા છે. એટલે કે, સિદ્ધારમૈયા આ વખતે કોંગ્રસ પાર્ટી તરફથી કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી બનશે.
સિદ્ધારમૈયા 20 મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો હતો. આ અહેવાલમાં જાણીશું કે, સિદ્ધારમૈયાના એવા કઇ 5 ખાસિયતો છે, જે ડીકે શિવકુમાર પર ભારે પડ્યા છે.

સિદ્ધારમૈયાની 5 ખાસિયતો
સોશિયલ એન્જિનિયરિંગના મામલે સિદ્ધારમૈયાને કોંગ્રેસના નંબર વન નેતા માનવામાં આવી રહ્યા છે. તેમને કર્ણાટકમાં અહિંદા સમીકરણના પિતા કહેવામાં આવે છે. અહિંદા એટલે અમિનિત્યતારુ (લઘુમતી), હિંદુલિદ્વારુ (પછાત વર્ગ) અને દલિતરુ (દલિત વર્ગ). અહિંદા સમીકરણ હેઠળ સિદ્ધારમૈયાનું ધ્યાન રાજ્યની 61 ટકા વસ્તી પર હતું.
સિદ્ધારમૈયા સામે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. તેમને રાજ્યના સૌથી સ્વચ્છ નેતા માનવામાં આવે છે.
મુસ્લિમ સમુદાયમાં સિદ્ધારમૈયાને સારા ફોલોવર્સ માનવામાં આવે છે. કારણ કે 2013થી 2018 સુધી જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ટીપુ સુલતાનને કર્ણાટકમાં હીરો તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
કુર્બા જાતિ પર સિદ્ધારમૈયાની સંપૂર્ણ પકડ છે. તે રાજ્યમાં ત્રીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવે છે. આ ઉપરાંત સિદ્ધારમૈયા રાજ્યના મોટા ઓબીસી નેતા માનવામાં આવે છે.
લગભગ 60 ટકા ધારાસભ્યો પણ સિદ્ધારમૈયાને સમર્થન આપતા જોવા મળ્યા હતા. 2013માં, જ્યારે મલ્લિકાર્જુન ખરગેને સીએમ બનાવવાનો મામલો સામે આવ્યો, ત્યારે સિદ્ધારમૈયાએ લગભગ 70 ટકા ધારાસભ્યોને પોતાના પક્ષમાં લીધા, જેના પરિણામે કોંગ્રેસે જેડીએસમાંથી આવેલા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ આપ્યું હતું.
DK શિવકુમાર મુખ્યમંત્રીની રેસમાં કેમ પાછળ રહ્યા?
ડીકે શિવકુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિત 19 કેસ નોંધાયેલા છે. તેઓ જેલમાં પણ ગયા છે. તેમની સામે હજુ પણ ઘણા કેસોની તપાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે તેમને મુખ્યમંત્રી બનાવ્યા હોત, તો ભાજપ તેને મુદ્દો બનાવી શક્યું હોત.
નવી દિલ્હીમાં રેડ દરમિયાન ચાર જગ્યાઓમાંથી 8.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા, જેનો આરોપ સીધો ડીકે શિવકુમાર પર લગાવવામાં આવ્યો હતો. IT વિભાગને નવી દિલ્હીના સફદરજંગ એન્ક્લેવમાં કથિત રીતે શિવકુમાર સાથે જોડાયેલા ત્રણ ફ્લેટ પણ મળ્યા હતા.
ડીકે શિવકુમાર પાસે કોઈ વહીવટી અનુભવ નથી, તેથી જ કોંગ્રેસ આ સંકટની સ્થિતિમાં કોઈ જોખમ લેવા માંગતી નથી.
CBIના નવા ડાયરેક્ટર પ્રવીણ સૂદ ડીકેના મુખ્યમંત્રી બનતાની સાથે જ ફાઈલ ખોલી શકે છે
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
