Karnataka Result : કર્ણાટકની જનતાએ દલબદલુઓનું શું કર્યુ? જાણો કેટલા જીત્યા?
કર્ણાટકમાં ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં વિવિધ પાર્ટીઓના નેતા પક્ષ પલટો કરતા જોવા મળ્યા હતા. હવે જ્યારે પરિણામ આવી ગયા છે ત્યારે લોકો આ નેતાઓની હાર-જીત પર નજર નાંખી રહ્યા છે. અહીં એ જાણવુ જરૂરી છે કે પક્ષ પલટો કરનારા કેટલા લોકો જીત્યા અને કેટલા હાર્યા?
ચૂંટણી પહેલા બીજેપી છોડનારા મુખ્ય નેતાઓમાં પાર્ટીના 6 વખતના ધારાસભ્ય જગદીશ શેટ્ટર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવદી, એચડી થમૈયા અને કુમારસ્વામીનો સમાવેશ થાય છે. આમાંના પહેલા ત્રણ ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા અને કુમારસ્વામી ભાજપ છોડીને જેડીએસમાં જોડાયા હતા.

કોંગ્રેસે કર્ણાટકમાં પ્રચંડ જીત મેળવી છે ત્યારે ઉમેદવાર જગદીશ શેટ્ટર હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટ પરથી ભાજપના મહેશ તેંગિંકાયી સામે લગભગ 35 હજાર મતોના મોટા માર્જિનથી હાર્યા છે. એચડી થમૈયા ચિકમગલુર સીટ પર બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિને 5,926 મતોથી હરાવવામાં સફળ થયા છે.
આ સિવાય અન્ય નેતાઓની વાત કરીએ તો લક્ષ્મણ સાવડીએ અથાની વિધાનસભા સીટ પર બીજેપીના ઉમેદવાર મહેશ કુમથલ્લીને 76,122 મતોથી હરાવીને પોતાને સાબિત કર્યા છે.
કુમથલ્લી કોંગ્રેસની ટિકિટ પર છેલ્લી વખત ચૂંટણી જીત્યા હતા પરંતુ તે બાદમાં બીજેપીમાં જોડાયા હતા. તે કોંગ્રેસના એ ધારાસભ્યોમાંના એક હતા જેના પક્ષપલટાના કારણે 2019માં કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ભાંગી હતી.
જો કે કુમારસ્વામીને મુદિગેરે સીટ પર હારનો સામનો કરવો પડ્યો છે. તે આ સીટ પર ત્રીજા નંબરે રહ્યા છે. અહીં કોંગ્રેસ નયના મોતમ્માએ બીજેપીના દીપક દોદૈયાને 722 મતોના માર્જિનથી હરાવ્યા છે. કર્ણાટકમાં 224 બેઠકોમાંથી કોંગ્રેસને 136, ભાજપને 65, જેડીએસને 19, અપક્ષ અને અન્યને 2-2 બેઠકો મળી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
