ભીખ નહી, પોતાનો હક માંગી રહ્યાં છે કાશ્મીરી પંડીત, માફી માંગે LG: રાહુલ ગાંધી
ભારત જોડો યાત્રા તેના અંતિમ તબક્કામાં છે. જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ફરતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ કાશ્મીરી પંડિતોની વચ્ચે પહોંચ્યા. તેણે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને માફી માંગવા કહ્યું હતુ.
ભારત જોડો યાત્રા તેના અંતિમ તબક્કામાં છે. જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ફરતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ કાશ્મીરી પંડિતોની વચ્ચે પહોંચ્યા. તેણે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને માફી માંગવા કહ્યું હતુ.
કાશ્મીરી પંડિતોની વચ્ચે પહોંચેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ઉપરાજ્યપાલે કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિમંડળને ભીખ ન માંગવાની સલાહ આપી, જે ખોટું છે, તેમણે આ નિવેદન માટે માફી માંગવી જોઈએ.
जब कश्मीरी पंडितों का एक डेलिगेशन लेफ्टिनेंट गवर्नर से मिलने गया तो LG ने उनसे कहा कि 'तुम्हें भीख नहीं मांगनी चाहिए'
— Congress (@INCIndia) January 23, 2023
मैं लेफ्टिनेंट गवर्नर जी से कहना चाहता हूं कि ये भीख नहीं, अपना हक मांग रहे हैं।
आपको कश्मीरी पंडितों से माफी मांगनी चाहिए।
: @RahulGandhi जी pic.twitter.com/YjHLZZVQjB
ભારત જોડો યાત્રાનો વીડિયો શેર કરતા કોંગ્રેસ પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "જ્યારે કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ લેફ્ટનન્ટ ગવર્નરને મળવા ગયું ત્યારે એલજીએ તેમને કહ્યું કે 'તમે ભીખ ન માગો' હું લેફ્ટનન્ટ ગવર્નરને કહેવા માંગુ છું કે ભીખ માંગવા નહીં, અમારો હક્ક માંગીએ. તમારે કાશ્મીરી પંડિતોની માફી માંગવી જોઈએ."