Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેજરીવાલ સરકારે શિક્ષકોની સેલેરીનો મુદ્દો સુલજાવ્યો, 28 કરોડની રકમ કરી જારી

દિલ્હી સરકારની આર્થિક સહાયથી ચાલતી કોલેજોમાં જે શિક્ષકોનો પગાર ઘણાં સમયથી અટકી રહ્યો છે તેના માટે સરકારે નવી જાહેરાત કરી છે. હકીકતમાં, કેજરીવાલ સરકારે કહ્યું છે કે, દિલ્હી સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડતી કોલેજ શિક

દિલ્હી સરકારની આર્થિક સહાયથી ચાલતી કોલેજોમાં જે શિક્ષકોનો પગાર ઘણાં સમયથી અટકી રહ્યો છે તેના માટે સરકારે નવી જાહેરાત કરી છે. હકીકતમાં, કેજરીવાલ સરકારે કહ્યું છે કે, દિલ્હી સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડતી કોલેજ શિક્ષકોને ચૂકવવામાં આવતા પગારમાં તેમના કોઈપણ ભંડોળનો ઉપયોગ કરી શકે છે. જો કે સરકારે આ માહિતી આપવાની રહેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ઘોષણા સાથે શિક્ષકોને પગાર માટે 28.24 કરોડની રકમ જાહેર કરી હતી.

Arvind Kejriwal

કેજરીવાલે આ દરમિયાન કહ્યું હતું કે શિક્ષકો રાષ્ટ્રના સર્જક છે અને તેમનો પગાર ચૂકવવો એ સરકારની જવાબદારી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર આ માટે પૂરતા નાણાં પૂરા પાડશે. કેજરીવાલે કહ્યું કે આ મુદ્દે કાયમી સમાધાન મેળવવા દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ સાથે બેસવાનો નિર્ણય લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આ મુદ્દે કોઈ વિવાદ ન થાય.
આ પ્રસંગે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે કોલેજો તેમના શિક્ષકોને તેમના સ્તરે પગાર ચૂકવવાનું નક્કી કરી શકે છે, પરંતુ કોલેજોની કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા હોવી જોઈએ. દિલ્હીની 12 કોલેજોના શિક્ષકો, પ્રોફેસરો અને અન્ય લોકો સાથે બેઠક બાદ શિક્ષકોના પગાર અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં બોલ્યા PM મોદી, કહ્યું- કોરોના પર કાબુ લેવા કઇ પગલા ન ઉઠાવ્યા તો બગડી શકે છે હાલાત

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X