Chhath Puja 2022: દિલ્લીમાં 1100 જગ્યાએ થશે છઠ પૂજાનુ આયોજન, કેજરીવાલ સરકારનુ એલાન
દિલ્લીની કેજરીવાલ સરકારે રાજધાનીમાં 1100 જગ્યાએ છઠ પૂજાનુ આયોજન કરવાનુ એલાન કરીને મોટી ભેટ આપી છે.
દિલ્લીની કેજરીવાલ સરકારે રાજધાનીમાં 1100 જગ્યાએ છઠ પૂજાનુ આયોજન કરવાનુ એલાન કરીને મોટી ભેટ આપી છે. આ અંગે એક પ્રેસ કૉન્ફરન્સમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી. તેમણે કહ્યુ કે કોવિડનો પ્રકોપ ચોક્કસપણે ઓછો થયો છે પરંતુ તે સમાપ્ત થયો નથી. તેથી દરેક વ્યક્તિએ આ પૂજામાં કોવિડની માર્ગદર્શિકાનુ પાલન કરવુ જરૂરી છે. સીએમ કેજરવાલે કહ્યુ કે આપણે બધા 30 અને 31 ઓક્ટોબરના રોજ યોજાનારી છઠ પૂજામાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લઈશુ અને સહુની સુખાકારી માટે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરીશુ.

તેમણે કહ્યુ કે અગાઉ દિલ્લીમાં છઠ પૂજાનુ આયોજન ખૂબ જ નાના પાયે કરવામાં આવતુ હતુ પરંતુ જ્યારથી દિલ્લીમાં અમારી સરકાર બની છે, અમે તેને મોટા પાયે ઉજવીએ છીએ. જો કે આપણે કોરોનાના પ્રકોપને કારણે બે વર્ષથી છઠની ઉજવણી કરી શક્યા ન હતા પરંતુ આ વખતે આપણે બધા સાથે મળીને આ તહેવાર પ્રેમ અને વિશ્વાસ સાથે ઉજવીશુ. જો કે, આ દરમિયાન તેમણે વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યુ કે વર્ષ 2014માં દિલ્લી સરકાર માત્ર 69 સ્થળોએ છઠ પૂજાનુ આયોજન કરતી હતી. જેમાં માત્ર 2.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે અમે 1100 સ્થળોએ છઠનો તહેવાર ઉજવીશુ અને 25 કરોડનો ખર્ચ થશે.
સીએમ કેજરીવાલે વધુમાં ઉમેર્યુ કે આ કાર્યક્રમમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવશે અને દરેક વ્યક્તિએ માસ્ક પહેરવાનુ ફરજિયાત રહેશે. તેમણે કહ્યુ કે વીજળી, પાણી, શૌચાલય અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે લોક આસ્થાનો મહાન તહેવાર છઠ ચાર દિવસ સુધી ચાલે છે. આ વખતે આ પવિત્ર તહેવારની શરૂઆત 28 ઓક્ટોબર 2022 થી 31 ઓક્ટોબર 2022 સુધી થશે.
28 ઑક્ટોબર 2022: નહાય ખાય
29 ઑક્ટોબર 2022: ખરના
30 ઑક્ટોબર 2022: ડૂબતા સૂર્યને અર્ધ્ય(પ્રથમ)
31 ઑક્ટોબર 2022: ઉગતા સૂર્યને અર્ધ્ય(બીજા)
તમને જણાવી દઈએ કે સંતાનના સુખ અને લાંબા આયુષ્ય માટે રખાતા છઠનો તહેવાર બિહાર, યુપીમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ એકમાત્ર એવી પૂજા છે જેમાં અસ્ત થતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. અસ્ત થતો સૂર્ય મનુષ્યને શાંતિ આપે છે જ્યારે ઉગતો સૂર્ય નવી વિચારસરણી અને નવી દિશા વિશે જણાવે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
