For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારી ઉપર હુલમો પણ થઇ શકે છે: કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
લખનઉ, 1 નવેમ્બર: વિદેશ મંત્રી સલમાન ખુર્શીદના સંસદીય વિસ્તાર ફર્રુખાબાદમાં તેમના બિન સરકારી સંગઠન (એનજીઓ) દ્રારા આચરવામાં આવેલા ભષ્ટ્રાચાર વિરૂદ્ધ રેલી યોજવા જઇ રહેલા ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના નેતા અરવિંદ કેજરીવાલે ગુરૂવારે આશંકા વ્યક્ત કરી હતી કે તેમના પર હુમલો થઇ શકે છે.

ફર્રુખાબાદ માટે રવાના થતાં પહેલાં કેજરીવાલ સાથે થયેલી વાતચીત દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે હું જેમના વિરૂદ્ધ રેલી કરવા જઇ રહ્યો છું તે ચૂપ રહી શકશે નહી. અમારી ઉપર હુમલો પણ કરાવી શકે છે.

અમે તે માટે તૈયાર છીએ. કેજરીવાલે કહ્યું હતું કે મને ડર નથી લાગતો કારણ કે મારો જીવ ભગવાનના હાથમાં છે, સલમાન ખુર્શીદના હાથમાં નહી. આ દરમિયાન કેજરીવાલે ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકાર પર સલમાન ખુર્શીદને બચાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ખુર્શીદના એનજીઓ જાકીર હુસૈન ટ્રસ્ટ પર વિકલાંગોના સાધનો માટે મળેલા રૂપિયાને ચાઉં કરી જવાનો આરોપ છે. જેના વિરૂદ્ધ કેજરીવાલ આજે ફર્રુખાબાદમાં રેલી યોજશે. તેમની સાથે મોટી સંખ્યામાં વિકલાંગો હાજર રહેશે. ફર્રુખાબાદના આવાસ વિકાસ મેદાનમાં યોજાનારી કેજરીવાલની રેલીને ધ્યાનમાં રાખતાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

English summary
Stage is set for the India Against Corruption's rally against Union minister Salman Khurshid on Thursday afternoon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X