Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘૂસણખોરો પર અમિત શાહના નિવેદનથી નારાજ ક્રિશ્ચિયન ફોરમ, દેશની માફીની માંગ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે જે રીતે એનઆરસી વિશે નિવેદન આપ્યુ હતુ તેના વિરોધમાં કેરળ ક્રિશ્ચિયન ફોરમે મોરચો ખોલી દીધો છે.

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે જે રીતે એનઆરસી વિશે નિવેદન આપ્યુ હતુ તેના વિરોધમાં કેરળ ક્રિશ્ચિયન ફોરમે મોરચો ખોલી દીધો છે. ફોરમનું કહેવુ છે કે અમિત શાહે જે નિવેદન આપ્યુ છે તે દેશની ઓળખ, એકતા અને સેક્યુલર છબી પર સીધો હુમલો છે. તમને જણાવી દઈએ કે શાહે નેશનલ સિટિઝન રજિસ્ટર વિશે કહ્યુ હતુ કે અમે બૌદ્ધ, હિંદુ અને સિખ ઉપરાંત દેશના દરેક ઘૂસણખોરને બહાર કાઢી દઈશુ.

amit shah

કેરળ ક્રિશ્ચિયન ફોરમે આશા વ્યક્ત કરી છે કે અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી આ નિવેદન પર માફી માંગશે. ફોરમનું કહેવુ છે કે શાહ અને ભાજપે દેશની માફી માંગવી જોઈએ. ખાસ કરીને દેશના લઘુમતી સમાજની કે જે શાહના નિવેદનથી દુઃખી છે. તમને જણાવી દઈએ કે અમિત શાહે દાર્જિલિંગમાં પાર્ટીના ઉમેદવાર રાજુ બિષ્ટ માટે પ્રચાર દરમિયાન રેલીને સંબોધિત કરીને કહ્યુ હતુ કે તેમની સરકાર પાછી સત્તામાં આવશે તો અનુચ્છેદ 370ને હટાવવામાં આવશે. સાથે જ દેશભરમાં એનઆરસીને લાગુ કરવામાં આવશે.

અમિત શાહે કહ્યુ કે ગેરકાયદેસર પ્રવાસી ઉધઈ જેવા છે અને દેશને ખોખલો કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે ફરીથી સત્તામાં આવવા પર અમે આ લોકોને બહાર કરીશુ. શાહે કહ્યુ કે હું બંગાળમાં લોકોને આશ્વાસન આપવા માંગુ છુ કે તેમણે ડરવાની જરૂર નથી. અમે અહીંના શરણાર્થીઓને ભારતના પુત્ર-પુત્રી માનીએ છીએ અને તેમને નાદરિકતા આપવામાં આવશે પરંતુ ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યુ કે અમે આ વાતને સુનિશ્ચિત કરીશુ. શાહના આ નિવેદન પર ક્રિશ્ચિયન ફોરમે નારાજગી વ્યક્ત કરીને તેમને માફીના માંગ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X