ઘૂસણખોરો પર અમિત શાહના નિવેદનથી નારાજ ક્રિશ્ચિયન ફોરમ, દેશની માફીની માંગ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે જે રીતે એનઆરસી વિશે નિવેદન આપ્યુ હતુ તેના વિરોધમાં કેરળ ક્રિશ્ચિયન ફોરમે મોરચો ખોલી દીધો છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે જે રીતે એનઆરસી વિશે નિવેદન આપ્યુ હતુ તેના વિરોધમાં કેરળ ક્રિશ્ચિયન ફોરમે મોરચો ખોલી દીધો છે. ફોરમનું કહેવુ છે કે અમિત શાહે જે નિવેદન આપ્યુ છે તે દેશની ઓળખ, એકતા અને સેક્યુલર છબી પર સીધો હુમલો છે. તમને જણાવી દઈએ કે શાહે નેશનલ સિટિઝન રજિસ્ટર વિશે કહ્યુ હતુ કે અમે બૌદ્ધ, હિંદુ અને સિખ ઉપરાંત દેશના દરેક ઘૂસણખોરને બહાર કાઢી દઈશુ.

કેરળ ક્રિશ્ચિયન ફોરમે આશા વ્યક્ત કરી છે કે અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી આ નિવેદન પર માફી માંગશે. ફોરમનું કહેવુ છે કે શાહ અને ભાજપે દેશની માફી માંગવી જોઈએ. ખાસ કરીને દેશના લઘુમતી સમાજની કે જે શાહના નિવેદનથી દુઃખી છે. તમને જણાવી દઈએ કે અમિત શાહે દાર્જિલિંગમાં પાર્ટીના ઉમેદવાર રાજુ બિષ્ટ માટે પ્રચાર દરમિયાન રેલીને સંબોધિત કરીને કહ્યુ હતુ કે તેમની સરકાર પાછી સત્તામાં આવશે તો અનુચ્છેદ 370ને હટાવવામાં આવશે. સાથે જ દેશભરમાં એનઆરસીને લાગુ કરવામાં આવશે.
અમિત શાહે કહ્યુ કે ગેરકાયદેસર પ્રવાસી ઉધઈ જેવા છે અને દેશને ખોખલો કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે ફરીથી સત્તામાં આવવા પર અમે આ લોકોને બહાર કરીશુ. શાહે કહ્યુ કે હું બંગાળમાં લોકોને આશ્વાસન આપવા માંગુ છુ કે તેમણે ડરવાની જરૂર નથી. અમે અહીંના શરણાર્થીઓને ભારતના પુત્ર-પુત્રી માનીએ છીએ અને તેમને નાદરિકતા આપવામાં આવશે પરંતુ ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યુ કે અમે આ વાતને સુનિશ્ચિત કરીશુ. શાહના આ નિવેદન પર ક્રિશ્ચિયન ફોરમે નારાજગી વ્યક્ત કરીને તેમને માફીના માંગ કરી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
