પદ્મનાભ સ્વામીના મંદિરમાંથી 186 કરોડનાં સોનાનાં વાસણો ગાયબ
કેરળના થિરુવનંતપુરમમાં આવેલું અને અંદાજે એક લાખ કરોડ રૂપિયાનું સોનુ ધરાવતું શ્રી અનંતપદ્મનાભ સ્વામી મંદિર ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે પણ ચર્ચાનું કારણ મંદિરનું સોનુ જ છે.
કેરળના જગવિખ્યાત પદ્મનાભ સ્વામી મંદિરના વોલ્ટમાંથી ઓછામાં ઓછા 186 કરોડ રૃપિયાની કિંમતના સોનાનાં 769 પાત્રો અદ્રશ્ય થયાં. આ અંગેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં રાયે કહ્યું હતું કે સોનું મંદિરના વોલ્ટમાંથી પગ કરી ગયું હતું જેની ઉચ્ચ કક્ષાએ ગુપ્તચર સેવા દ્વારા તપાસ થવી ઘટે છે.

કેરળનું પ્રખ્યાત પદ્મનાભ મંદિરના ખજાનામાંથી 186 કરોડ રૂપિયાનું સોનું ગાયબ થયાની વાત સામે આવી છે. સીએજી વિનોદ રાય કમિટીએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે. લગભગ 1000 પેજના રિપોર્ટમાં કહેવાયું છે કે 776 કિલો વજનનાં સોનાનાં વાસણ ગાયબ છે.












Click it and Unblock the Notifications
