For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરાબી પુજારીએ રાષ્ટ્રપતિને જાનથી મારી નાખવાની ધમકી આપી

કેરળ પોલીસે એક મંદિરના પુજારીની ધરપકડ કરી લીધી છે. ખરેખર આ પુજારીએ દારૂના નશામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેરળ પોલીસે એક મંદિરના પુજારીની ધરપકડ કરી લીધી છે. ખરેખર આ પુજારીએ દારૂના નશામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રામનાથ કોવિંદ ત્રણ દિવસની યાત્રા પર કેરળના ત્રિશૂર પહોંચ્યા છે. અહીં તેઓ સોમવારે સેન્ટ થોમસના શતાબ્દી સમારંભમાં શામિલ થશે. પુજારીએ આ સ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આરોપી તિરુવરમપુરમ્થી 280 કિલોમીટર દૂર ત્રિશૂરના ચિરાકાળ ભગવાંથી મંદિરના પૂજારી છે.

ram nath kovind

પૂજારી જયારામને સોમવારે રાત્રે એક વાગ્યે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની હત્યા કરી દેવામાં આવશે. તેમની ધમકી પછી પોલીસ ટીમ તરફ હરકતમાં આવી. તેમને કોલ ડિટેલને આધારે પુજારીને ટ્રેક કરીને તેની ધરપકડ કરી લીધી. ત્રિશૂરના એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પૂજારી જયારામને દારૂના નશામાં આવી ધમકી આપી હતી.

પોલીસે જણાવ્યું કે જયારે તેમનો નશો ઉતાર્યો ત્યારે તેમને યાદ જ ના હતું કે તેમને રાત્રે આવી કોઈ ધમકી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રિશૂરના ગુરુવાયૂર મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે જઈ રહ્યા છે તેને જોતા આરોપી પુજારીની ધરપકડ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિના પાછા જતા પુજારીને છોડી મુકવામાં આવ્યા.

આપણે જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે ત્રણ દિવસની યાત્રા પર તિરૂવનંતપુરમ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ અહીં સોમવારે કેરળ વિધાનસભાના હરિક જયંતિ સમારંભના સમાપન સત્ર "લોકતંત્રના ત્યોહાર" નું પ્રારંભ કરશે, ત્યારપછી તેઓ પાછા દિલ્હી જશે.

English summary
Kerala temple Priest Arrested For Threatening To Plant Bomb At President Ram Nath Kovind Event
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X