ચૂંટણી પરિણામ વચ્ચે કેશવ પ્રસાદ મૌર્યએ કર્યું ટ્વીટ- ગુંડાગર્દી હારી રહી છે
ચૂંટણી પરિણામ વચ્ચે કેશવ પ્રસાદ મૌર્યએ કર્યું ટ્વીટ- ગુંડાગર્દી હારી રહી છે
ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટ માટે ગુરુવારે સવારે 8 વાગ્યેથી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે. પોસ્ટલ બેલેટની ગણતરી પૂરી થયા બાદ ઈવીએમથી મતગણતરી શરૂ થશે. અત્યારે ટ્રેન્ડ્સ આવવા શરૂ થઈ ગયા છે અને ટ્રેન્ડ્સમાં ભાજપ આગળ ચાલી રહી છે. ચૂંટણી પરિણામો વચ્ચે ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કર્યો છે.
ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ચૂંટણી પરિણામો વચ્ચે કહ્યું- જનતા જીતી રહી છે અને ગુંડાગર્દી હારી રહી છે. એટલું જ નહીં, કેશવ પ્રસાદ મૌર્યનું કહેવું છે કે રાજ્યમાં ભાજપ ઐતિહાસિક જીત નોંધાવશે. તેમણે એ બધી જ યોજનાઓ ગણાવી જેને કારણે પાર્ટીને બીજી વખત સત્તા મળી રહી છે.
કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરતા કહ્યું, 'યુપીમાં ભાજપ ઐતિહાસિક રીતે જીતશે, જીતનું કારણ બૂથ સુધી ભાજપ મજબૂત સંગઠન હોવું, ડબલ એન્જીન સરકારે ગરીબો માટે જીવન સ્તરોમાં સુધાર, નિઃશુલ્ક રાશન વિતરણની સાથે જ અતિ પછાત અતિ દલિત મતદારોને મોદીજી યોગીજી પ્રત્યે ભરોસા સાથે સુશાસન, વિકાસ, સુરક્ષા વગેરે મુદ્દાઓ પર કમળને વોટ મળ્યા.'