અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને સંતોની આજે મહત્વની બેઠક
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને સંતોની આજે મહત્વની બેઠક
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્મણની માગને લઈને સતત રાજનૈતિક નિવેદનો થઈ રહ્યાં છે, આ દરમિયાન અયોધ્યામાં સંતોની આજે ઉચ્ચાધિકારી સમિતિની પણ આજે એક મહત્વની બેઠક મળનાર છે. આ બેઠક દિલ્હીમાં થશે, જેમાં 45 જેટલા સંતો ભાગ લેશે જેઓ નક્કી કરશે કે અયોધ્યામાં રામ મંદિર બનાવવાની પહેલનો આગામી રસ્તો શું હોવો જોઈએ. આ બેઠકમાં વિશ્વ હિંદુ પરિષદ પણ ભાગ લેશે, એમનું કહેવું છે કે બેઠકમાં એ વાતને લઈને ફેસલો લેવામાં આવશે કે રામ મંદિર મુદ્દા પર ભવિષ્યની રણનીતિ કેવી હોવી જોઈએ.
આ બેઠક આજે સવારે લગભગ 11 વાગ્યે શરૂ થશે, જેમા લેવાયેલ ફેસલાનું એલાન સાંજે લગભગ 6.30 વાગ્યે કરવામાં આવશે. બેઠકમાં સંતો ઉપરાંત વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર અને કેન્દ્રીય પદાધિકારી પણ ભાગ લેશે. આલોક કુમાર મુજબ રામ મંદિર બનવાના બે રસ્તા છે, એક કાયદો બનાવીને મંદિરનું નિર્માણ કરી શકાય અથવા સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ મંદિરનું નિર્માણ કરી શકાય. આ બેઠકમાં સંત જણાવશે કે આગળ આપણે કયા રસ્તે ચાલવું.
વીએચપીને જ્યારે પૂછવામાં આવ્યું કે ચૂંટણી પહેલા આ બેઠક કેમ કરવામાં આવી રહી છે તો એમણે કહ્યું કે આનાથી વાંધો કોને છે, જેઓ જનોઈ પહેરે છે, કૈલાશ માનસરોવર જાય છે, રેલીમાં ભક્તના બોર્ડ લગાવે છે, તેઓ પણ માત્ર પૂજા પંડાલના ચક્કર લગાવવાને બદલે સમર્થન કરે તો તેમને પણ ફાયદો થશે. વીએચપી કહ્યું, અમને આશા છે કે જલદી જ આ મામલે સુપ્રીમ કોર્ટનો ફેસલો આવશે.
આ પણ વાંચો- ABP 2019 સર્વેઃ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ભાજપને હંફાવી શકે