સુપ્રીમ કોર્ટ સાથે વિવાદ વચ્ચે કિરણ રિજિજૂનું નિવેદન, કહ્યું- જજ ચૂંટણીનો સામનો નથી કરતા
વિવાદ વચ્ચે સતત કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ તરફથી નિવેદનો આવી રહ્યા છે. હવે કેન્દ્રિયમંત્રી કિરણ રિજિજૂએ ફરી એક વખત જજોની નિયુક્તિને લઈને નિવેદન આપ્યુ છે.
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જજોની નિયુક્તિને લઈને વિવાદો ચાલી રહ્યા છે. આ વિવાદ વચ્ચે સતત કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ તરફથી નિવેદનો આવી રહ્યા છે. હવે કેન્દ્રિયમંત્રી કિરણ રિજિજૂએ ફરી એક વખત જજોની નિયુક્તિને લઈને નિવેદન આપ્યુ છે.

કાયદા મંત્રી કિરણ રિજિજૂ દિલ્હી બાર એસોસિએશનના એક કાર્યક્રમમાં હજરી આપવા માટે પહોંચ્યા હતા. અહીં કિરણ રિજિજૂએ કહ્યું કે, ન્યાયાધીશ બન્યા બાદ તેમણે ચૂંટણી કે જાહેર ચકાસણીનો સામનો કરવો પડતો નથી.
તેણમે આગળ કહ્યું કે, મેં CJIને એક પત્ર લખ્યો, જેના વિશે કોઈને ખબર નહોતી. ખબર નહીં કોને ક્યાંથી ખબર પડી અને સમાચાર આપ્યા કે કાયદા મંત્રીએ CJIને પત્ર લખ્યો કે કોલેજિયમમાં સરકારનો એક પ્રતિનિધિ હોવો જોઈએ. આ બાબતને કોઈ હાથ-પગ નથી. હું આ સિસ્ટમમાં અન્ય વ્યક્તિને કેવી રીતે મુકી શકું?
આ પહેલા પણ કાયદામંત્રી સુપ્રીમ કોર્ટ વિશે નિવેદન આપી ચુક્યા છે. અહીં તેમણે આગળ કહ્યું કે, જજ બન્યા બાદ ચૂંટણી અથવા જાહેર તપાસનો સામનો કરવો પડતો નથી. જનતા ન્યાયાધીશો તેમના નિર્ણયો અને જે રીતે ન્યાય આપે છે તે જોઈ રહી છે અને મૂલ્યાંકન કરે છે. સોશિયલ મીડિયાના આ યુગમાં કંઈપણ છુપાવી શકાય નહીં. જો આપણે ન્યાયતંત્રની સ્વતંત્રતાને નબળી પાડીશું અથવા તેની સત્તા, સન્માન અને ગરિમા ઘટાડશું તો લોકશાહી સફળ નહીં થાય.
અહીં તેમણે કહ્યું કે, 1947 થી ઘણા ફેરફાર થયા છે. એ વિચારવું ખોટું હશે કે વર્તમાન સિસ્ટમ ચાલુ રહેશે અને તેના પર ક્યારેય પ્રશ્ન નહીં ઉઠાવાય. તેમણે કહ્યું કે બદલાતી પરિસ્થિતિ જ જરૂરિયાત નક્કી કરે છે અને તેથી જ બંધારણમાં સોથી વધુ વખત સુધારો કરવો પડ્યો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
