જાણો શું હોય છે આચાર સંહિતા? વિધાનસભા ચૂંટણી આવતા 5 રાજ્યોમાં આજથી કરાઇ લાગુ
ભારતના ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ વખતે યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ભારતીય ઈતિહાસમાં યોજાયેલી ચૂંટણીઓથી ઘણી અલગ હશે. કોરોના મ
ભારતના ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ વખતે યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ભારતીય ઈતિહાસમાં યોજાયેલી ચૂંટણીઓથી ઘણી અલગ હશે. કોરોના મહામારીના ત્રીજા મોજાના પડછાયામાં યોજાનારી આ ચૂંટણીમાં ઘણા નવા નિયમો લાગુ થશે. ચૂંટણી પંચની તારીખોની જાહેરાત સાથે, આ પાંચ રાજ્યોમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જે અંતર્ગત આ રાજ્યોમાં કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવશે, જેના ઉલ્લંઘન પર રાજકીય પક્ષો ઉપર કાર્યવાહી થઈ શકે છે.

ચૂંટણીના પરિણામના દિવસે પુરી થશે આચાર સંહિતા
પાંચ રાજ્યોમાં ચૂંટણી થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહેશે. મતગણતરી બાદ ચૂંટણીના પરિણામો સાથે આદર્શ આચારસંહિતાનો અંત આવશે અને તેના હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણો પણ સમાપ્ત થઈ જશે. તમને જણાવી દઈએ કે આચારસંહિતા દરમિયાન રાજ્યની સિસ્ટમ એક રીતે ચૂંટણી પંચના નિયંત્રણમાં આવે છે.
શું હોય છે આચાર સંહિતા?
તમને જણાવી દઈએ કે દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ચૂંટણી રાજ્યોમાં જે સિસ્ટમ લાગુ કરવામાં આવે છે તેને આચારસંહિતા કહેવામાં આવે છે. આ સિસ્ટમ ચૂંટણી નિમિત્તે લાગુ કરવામાં આવે છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. આ સિસ્ટમ દરમિયાન રાજકીય પક્ષ, નેતા અને સ્થાનિક સરકારે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવાનું હોય છે અને જો નિયમોનું ઉલ્લંઘન થાય તો ચૂંટણી પંચ કાર્યવાહી કરે છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
