Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોલકાતા પોલીસ કમિશ્ન પહોંચ્યા શિલાંગ, આજે સીબીઆઈ પૂછપરછ કરશે

કોલકાતા પોલીસ કમિશ્ન પહોંચ્યા શિલાંગ, આજે સીબીઆઈ પૂછપરછ કરશે

શિલાંગઃ કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શુક્રવારે મેઘાલયની રાજધાની શિલાંગ પહોંચ્યા. અહીં પર સીબીઆઈ શારદા ચિટફંડ કૌભાંડમાં પુરાવા નષ્ટ કરવામાં તેમની કથિત ભૂમિકાને લઈ પૂછપરછ કરશે. એક અધિકારીએ જણાવ્યું કે કુમારથી અહીં સીબીઆઈ કાર્યાલયમાં અને અન્ય એક અજાણી જગ્યા પર સીબીઆઈ દળ પૂછપરછ કરશે. કુમારની સાથે કોલકાતા પોલીસના ત્રણ અન્ય આઈપીએસ અધિકારી પણ આવ્યા છે. ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, રાજીવ કુમારને શહેરની એક મોટી હોટલમાં રોકવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ તેમને સુરક્ષા પ્રદાન કરી રહી છે.

રાજીવ કુમારની પૂછપરછ થશે

રાજીવ કુમારની પૂછપરછ થશે

બીજી બાજુ સીબીઆઈ અધિકારીઓનો એક સમૂહ રાજીવ કુમારની પૂછપરછ કરવા માટે શુક્રવારે રાત્રે જ દિલ્હી પહોંચી ગયો છે. ઉચ્ચતમ ન્યાયાલયે મંગળવારે કોલકાતાના એક પોલીસ કમિશઅનરને સીબીઆઈ સમક્ષ હાજર થવા અને શારદા ચિટફંડ કૌભાંડ સાથે જોડાયેલ મામલાની તપાસમાં તેની સાથે વિશ્વસનીય રૂપથી સહયોગ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તેની ધરપકડ કરવામાં નહિ આવે.

સીબીઆઈ વધુ અધિકારીઓ મોકલશે

સીબીઆઈ વધુ અધિકારીઓ મોકલશે

સીબીઆઈના સૂત્રો મુજબ, સીબીઆઈની વિવિધ ત્રણ ટીમો રાજીવ કુમારની પૂછપરછ કરશે. દરેક ટીમમાં ત્રણથી વધુ અધિકારી સામેલ રહેશે. પૂછપરછ કરતી દરેક ટીમ પાસે પૂછપરછના વિવિધ મુદ્દા હશે. આ પૂછપરછ ત્રણ કંપનીઓને લઈને કરવામાં આવશે. જરૂર પડ્યે સીબીઆઈ પોતાના પ્રશ્નોની સંખ્યા વધારી શકે છે.

અધિકારીઓને કોલકાતા મોકલી દેવાયા

અધિકારીઓને કોલકાતા મોકલી દેવાયા

રાજીવ કુમાર સહિત કેટલાક હાઈ પ્રોફાઈલ સંદિગ્ધોથી પૂછપરછ દરમિયાન અતિરિક્ત શ્રમ બળ ઉપલબ્ધ કરાવવા માટે સીબીઆઈએ દિલ્હી, ભોપાલ અને લખનઉ વિંગના દસ અધિકારીઓને 20 ફેબ્રુઆરી સુધી કોલકાતા મોકલ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં વિશેષ વિંગના પોલીસ અધીક્ષક જગરૂપ એસ. ગુસિન્હાની સાથે અતિરિક્ત એસપી વી એમ મિત્તલ, સુરેન્દ્ર કુમા મલિક, ચંદર દીપ, ઉપાધીક્ષક અતુલ હજેલા, આલોક કુમાર શાહી અને પી.કે. શ્રીવાસ્તવ, નિરીક્ષક હરિશંકર ચાંદ, રિતેશ દાનહી અને સુરજીત દાસ કોલકાતામાં તહેનાત થશે. જેમાં જણાવવામાં આવ્યું છે કે અધિકારી અસ્થાયી રૂપથી સીબીઆઈ ઈઓ-ચાર, કોલકાતામાં પદસ્થ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X