લખીમપુર હિંસાઃ પ્રશાંત કિશોરનુ કોંગ્રેસ પર નિશાન, કહ્યુ - ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીની જડો નબળી, નિરાશા મળશે
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ઉત્તર પ્રદેશના લખીમપુરમાં થયેલી હિંસાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ઉત્તર પ્રદેશના લખીમપુરમાં થયેલી હિંસાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. પ્રશાંત કિશોરે શુક્રવારે(8 ઓક્ટોબર)ના રોજ ટ્વિટ કરીને કોંગ્રેસના પતનના સંકેત આપ્યા છે. પ્રશાંત કિશોરે કહ્યુ, જે લોકોને લાગે છે કે લખીમપુર હિંસાના કારણે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષની ત્વરિત વાપસી થશે, તો બહુ મોટો ભ્રમ છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસને ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી(જીઓપી) કહીને સંબોધિત કરી છે. પ્રશાંત કિશોરે કહ્યુ છે કે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીની જડો નબળી છે અને તેમાં ઘણી બધા ખામીઓ છે, જે જલ્દી ઠીક નહિ થાય.

પ્રશાંત કિશોરે કહ્યુ - કોંગ્રેસની જડો નબળી
પ્રશાંત કિશોરે 8 ઓક્ટોબરની સવારે 11 વાગીને 21 મિનિટે ટ્વિટ કર્યુ, 'જે લોકો કે પાર્ટી વિચારી રહી હોય કે લખીમપુર ખીરીની ઘટના બાદ જીઓપી(ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી) ના બધા વિપક્ષની તરત વાપસી થવાનની છે, એવા લોકોને ખુદને એક મોટી નિરાશા માટે તૈયાર રાખવા જોઈએ. દુર્ભાગ્યથી જીઓપી(ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી)ની ઉંડી જડો ખૂબ નબળી છે અને સંરચનાત્મક નબળાઈનુ કોઈ ત્વરિત સમાધાન નથી.'












Click it and Unblock the Notifications
