Lakhpati Didi : શું છે લખપતિ દીદી યોજના? જાણો બજેટમાં તેને શું અપાયુ?
કેન્દ્ર સરકારે લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય બજેટ 2024માં આ અંગે જોગવાઈ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે લખપતિ દીદી યોજના હેઠળ ખર્ચ કરવાના બજેટ લક્ષ્યને 2 કરોડથી વધારીને 3 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહિલાઓના જીવનધોરણને સુધારવા માટે આ યોજના મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક મહિલાઓ લખપતિ દીદી યોજનાનો લાભ મેળવી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં એક દાયકામાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. વિશ્વના લોકો હવે ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.
લખપતિ યોજનાનો ઉલ્લેખ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે મોટા પાયે મહિલાઓના વિકાસ માટે તૈયારીઓ કરી છે.
તેમણે જણાવ્યું કે, લખપતિ દીદી હેઠળ સરકારે લક્ષ્યાંક કરોડથી વધારીને ત્રણ કરોડ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 9 કરોડ મહિલાઓના જીવનધોરણમાં સુધારો કરવામાં આવ્યો છે.
શું છે લખપતિ દીદી યોજના?
કેન્દ્ર સરકારે લખપતિ દીદી યોજના હેઠળ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ આપવા માટે આ યોજના શરૂ કરી હતીસ જેથી મહિલાઓ પૈસા કમાઈ શકે. સરકારે 15 ઓગસ્ટ 2023ના રોજ આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેની શરૂઆત મહિલાઓના કલ્યાણ માટે કરવામાં આવી હતી.
આ યોજના દ્વારા વર્ષ 2025 સુધીમાં લાખો મહિલાઓને કરોડપતિ બનાવવાની યોજના છે. જે અંતર્ગત મહિલાઓ આર્થિક રીતે સાક્ષર બની રહી છે. યોજના હેઠળ મહિલાઓને રોકાણ, નાણાકીય સાધનોની સમજ, નિયમિત બચત માટે પ્રોત્સાહન, આંત્રપ્રિન્યોર ઉદ્યોગ, શિક્ષણ કે અન્ય જરૂરિયાતો માટે નાની લોન આપવા ઉપરાંત વિષયો પર માહિતી આપવાની યોજના છે.
યોજના હેઠળ, મહિલાઓને ઉદ્યોગસાહસિકતા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેમને ડિજિટલ બેંકિંગ સેવાઓ, મોબાઈલ વોલેટ્સ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું પણ શીખવવામાં આવે છે.
કેવી રીતે લાભ મેળવવો?
મહિલાઓ સ્વ-સહાય જૂથોમાં જોડાઈને આ યોજનાનો લાભ મેળવી શકે છે. તેમને નજીકના આંગણવાડી કેન્દ્ર દ્વારા આ યોજના વિશે વિગતવાર માહિતી પણ આપવામાં આવે છે.
જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
પાન કાર્ડ
આવકનું પ્રમાણપત્ર
રહેઠાણનું પ્રમાણપત્ર
બેંક ખાતાની વિગતો
નોંધાયેલ મોબાઈલ નંબર
ઈમેલ આઈડી
પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
