કોંગ્રેસનું ચૂંટણી ગણિત : લાલુ બાદ મુલાયમનો પડશે ખેલ
નવી દિલ્હી, 3 ઓક્ટોબર : આજે કોર્ટે ચારા કૌભાંડમાં આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષની જેલની સજા અને 25 લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે હવે લાલુ યાદવ 11 વર્ષ માટે રાજકારણથી અલગ થઇ જશે. આ બાબત એક મોટા રાજકીય સમીકરણ તરફ ઇશારો કરી રહી છે. આપણા દેશમાં બદનામ થઇ ચૂકેલી સીબીઆઇએ આ કેસમાં સરાહનીય કામ કર્યું છે.
હવે પ્રશ્ન એ છે કે સીબીઆઇએ ખરેખર સારું કામ કર્યું છે તો આજે લાલુ પ્રસાદ યાદવ જેલમાં દયા છે તો હવે પછી જેલમાં જવામાં કોનો નંબર લાગશે? ચર્ચા એવી ચાલી રહી છે કે હવે પછી મુલાયમ સિંહ યાદવનો નંબર લાગશે. આ બાબત એટલા માટે ચર્ચામાં છે કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસ મોંઘવારી અને ભ્રષ્ટાચારની જાળમાં ફસાયેલી છે.

હવે જો તેણે સત્તામાં પાછા ફરીને શાસનની હેટ્રિક લગાવવી હોય તો દેશની જનતા સામે તેણે સારા બનવું પડશે. હવે ભ્રષ્ટાચારમાં લોથપોથ કોંગ્રેસ જ્યારે પોતાના સાથી પક્ષો અને નેતાઓ પર કડક પગલાં લેશો તો જનતામાં સારો અને સકારાત્મક સંદેશ જશે એમ કોંગ્રેસનું માનવું છે. આ બાબત લાલુ પ્રસાદ યાદવને જેલની સજા સંભળાવ્યા બાદ કોંગ્રેસના નેતા રશીદ અલ્વીએ આપેલા નિવેદનમાં સ્પષ્ટ દેખાતી હતી. તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસમાં ઝીરો ટોલરન્સ છે, પછી નેતા અમારા હોય કે સાથી પક્ષના.
હવે પછીનો નંબર મુલાયમ સિંહનો હશે એવું એ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે લાલુની જેમ મુલાયમ પણ કોંગ્રેસને સમર્થન આપતા આવ્યા છે, પરંતુ રાહુલ કે સોનિયાના વખાણ તેમણે કર્યા નથી. હમણા છેલ્લા કેટલાક સમયથી મુલાયમ ત્રીજા મોરચાની વાત પણ અવારનવાર કરી રહ્યા છે.
આ વાત મુલાયમ સારી રીતે જાણે છે તે કારણે જ તેઓ કોંગ્રેસ માટે ક્યારેય આકરી પ્રતિક્રિયા આપતા નથી. પરંતુ લોકસભા ચૂંટણીના પ્રચાલ દરમિયાન જો મુલાયમની જીભ લપસી ગઇ અને મેડમ તથા શહેઝાદાની વિરુદ્ધ બોલાઇ ગયું તો તેમનો નંબર પાક્કો હશે એમ માનવામાં આવે છે. આને જ કહેવાય છે ચૂંટણી ગણિત.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
