લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, એર એમ્બ્યુલન્સથી દિલ્હી લાવવાની તૈયારી શરૂ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી હતી. આ પછી ડોક્ટરોની સલાહ પર તેમને રાંચીથી એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવની રિમ્સમાં સા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી હતી. આ પછી ડોક્ટરોની સલાહ પર તેમને રાંચીથી એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવની રિમ્સમાં સારવાર ચાલી રહી છે. મેડિકલ બોર્ડે લાલુ પ્રસાદ યાદવને દિલ્હી લઈ જવાની મંજૂરી આપી દીધી છે, ત્યારબાદ તેમને દિલ્હી લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે.

Lalu Prasad Yadav

તમને જણાવી દઈએ કે 21 ફેબ્રુઆરીના રોજ સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને પાંચ વર્ષની જેલ અને 60 લાખ રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યું હતું. ખરાબ તબિયતના કારણે જેલ પ્રશાસને તેમને રિમ્સમાં દાખલ કર્યા હતા.

લાલુ પ્રસાદ યાદવની તબિયત ખૂબ જ ખરાબ છે. લાલુ યાદવની કિડની 80 ટકા કામ નથી કરી રહી. માત્ર 20 ટકા કામના કારણે તેમને દિલ્હી રીફર કરવાની વાત પહેલાથી જ સામે આવી રહી હતી. હવે તબિયત ખરાબ હોવાના કિસ્સામાં મેડિકલ બોર્ડની પરવાનગી બાદ તેમને દિલ્હી લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X