હરિયાણાના ભિવાનીમાં ખોદકામ દરમિયાન જમીન ધસી, ખડકો નીચે કેટલાક લોકો દટાયા હોવાની આશંકા!
હરિયાણાના ભિવાનીની પહાડી તૂટી પડી. જેના કારણે ત્યાં ખાણકામમાં રોકાયેલા અનેક કામદારોને અસર થઈ છે. હરિયાણા પોલીસે જણાવ્યું કે 2 લોકો ઘાયલ થયા છે અને કેટલાક ગુમ થયાની આશંકા છે.
ભિવાની : હરિયાણાના ભિવાનીની પહાડી તૂટી પડી. જેના કારણે ત્યાં ખાણકામમાં રોકાયેલા અનેક કામદારોને અસર થઈ છે. હરિયાણા પોલીસે જણાવ્યું કે 2 લોકો ઘાયલ થયા છે અને કેટલાક ગુમ થયાની આશંકા છે. હાલ કામદારો સ્થળ પર છે અને અકસ્માતનો ભોગ બનેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. ભૂસ્ખલનની આ ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા છે.
ભિવાનીની પહાડીઓમાં ઘણાં વર્ષોથી ખાણકામ ચાલી રહ્યું છે. અહીં દરરોજ જેસીબી અને ટ્રકો જોવા મળે છે. આજે નવા વર્ષ 2022નો પહેલો દિવસ છે અને આજે અહીં એક મોટી ઘટના ઘટી હકતી. હાલ સ્થળ પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભીડ ખડકો નીચે દટાયેલા લોકોને શોધી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જેસીબી અને મશીનરીના ખોદકામને કારણે ભૂસ્ખલન થયું છે. વિશાળ ખડકો તૂટીને નીચે પડ્યા. અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. પોલીસ ટીમ પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે.
Haryana Agriculture Minister JP Dalal reaches the spot of landslide
— ANI (@ANI) January 1, 2022
Some people have died. I cannot provide the exact figures as of now. A team of doctors has arrived. We will try to save as many people as possible: JP Dalal pic.twitter.com/PGbxZiucH4
હરિયાણાના કૃષિ મંત્રી જેપી દલાલ દુર્ઘટનાની માહિતી મળતા જ ભૂસ્ખલન સ્થળ પર પહોંચી ગયા છે. મંત્રીએ એટલું જ કહ્યું કે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. હું અત્યારે ચોક્કસ આંકડા આપી શકતો નથી. તબીબોની ટીમ ભેગી થઈ છે. અમે બને તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કરીશું.