500 રૂપિયા અંગેના આ મહત્વના ખબર વાંચો અહીં
આજે રાતથી 500 રૂપિયાની જૂની નોટનો ઉપયોગ બંધ થઇ જશે. પણ તેમ છતાં તમે તમારી આ જૂની નોટને 30 ડિસેમ્બર સુધી બેંક એકાઉન્ટ કે પછી 31 માર્ચ સુધી ભારતીય રિઝર્વ બેંકમાં બદલાવી શકો છો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરના રોજ નોટબંધીને જાહેરાત કરી તે પછી આજે એટલે કે 15 ડિસેમ્બર 2016થી 500 રૂપિયાની જૂની નોટોનો ચલણમાં ઉપયોગ બંધ થાય છે. આજે રાતે 12 વાગ્યા પછી 500 રૂપિયાની જૂની નોટ કોઇ પણ જગ્યાએ નહીં ચાલે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ નોટબંધીની જાહેરાત પછી સરકારી હોસ્પિટલ, ટોલ બૂથ, પાવર હાઉસ, એલપીજી આઉટલેટ અને સરકારી ટેક્સ જમા કરાવવા જેવી જગ્યાઓ પર આજ દિવસ સુધી 500 રૂપિયાની જૂની નોટ વાપરવાની છૂટ હતી.
જો કે આ પછી પણ જો તમારી પાસે કોઇ 500 રૂપિયાની જૂની નોટ હોય તો તેમ તે નોટને 30 ડિસેમ્બર સુધી પોતાના બેંકના એકાઉન્ટમાં જમા કરાવી શકો છો. અને વધુમાં 31મી માર્ચ સુધી ભારતીય રિઝર્વ બેંકમાં બદલાવી શકો છો.












Click it and Unblock the Notifications
