News In Brief: સોનિયા ગાંધી અને મનમોહન સિંહ મળ્યા શી જિનપિંગને
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...
1.00 pm: સ્કૉટલેંડની જનતાએ કર્યો બ્રિટેનમાંથી અલગ નહી થવાનો નિર્ણય. બ્રિટનના પક્ષમાં 55 ટકા વોટ પડ્યા, જ્યારે વિપક્ષમાં 45 ટકા વોટ પડ્યા. વધુ વાંચો...
11.20 pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી અલકાયદાએ જારી કરેલા વીડિયોનો જવાબ આપતા જણાવ્યું હતું કે ભારતનો મુસ્લિમ અલકાયદા જેવા આતંકવાદી સંગઠનના ઇશારા પર નાચવા માટે તૈયાર નહીં થાય. ભારતના મુસલમાનની વફાદારી પર શંકા કરી શકાય નહીં. ભારતીય મુસ્લિમ ભારત માટે જીવશે અને ભારત માટે જ મરશે.
10.10 am: આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રાનો ત્રીજો અને અંતિમ દિવસ, આજે તેઓ ડો.કોટનિસના પરિવારને મળશે અને બાદમાં 12 વાગ્યે ચીન જવા રવાના થશે. મુંબઇના ડોક્ટર કોટનિસે દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનું જીવન ચીની સૈનિકોની સેવામાં હોમી દીધું હતું.
10.00 am: ઉત્તર પ્રદેશના માધ્યમિક શિક્ષકો જૂની પેંશન યોજના પુન:સ્થાપિત કરવાની માંગને લઇને શુક્રવારે દિલ્હી જઇને સંસદનો ઘેરો ઘાલશે.
9.40 am: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં જહાંગીરાબાદ પેલેસની પાસે શહેરનું પહેલું હેરિટેજ હોટેલ બનાવવામાં આવશે. હોટેલ નિર્માણનો પ્રસ્તાવ લખનઉ વિકાસ પ્રાધિકરણમાં આપવામાં આવ્યું હતું, જેને પ્રાધિકરણની ટેકનિકલ કમિટિએ મંજૂરી આપી દીધી છે.
9.20 am: કોંગ્રેસે કહ્યું વિધવાઓ પર કરેલી ટિપ્પણી પર હેમા માલિની માફી માગે: કોંગ્રેસ
9.04
am:
ચીન
તરફથી
બે
વખતની
ગ્રાંડ
સ્લેમ
ચેમ્પિયન
લીનાએ
પોતાની
નિવૃતિની
જાહેરાત
કરી.
8.45
am:
વડાપ્રધાન
નરેન્દ્ર
મોદીએ
સીએનએન-આઇબીએનને
જણાવ્યું
કે
ભારત
અને
અમેરિકાના
સંબંધો
પ્રગતિની
રાહ
પર
છે.
8.30 am: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ મુલાકાત કરી.