નિર્ભયાના આરોપીઓને એક મહિલા જલ્લાદ બનીને ફાંસીએ ચઢાવશે, ઉપરાજ્યપાલને ચિઠ્ઠી લખીને ભલામણ કરી
નિર્ભયાના આરોપીઓને એક મહિલા જલ્લાદ બનીને ફાંસીએ ચઢાવશે, ઉપરાજ્યપાલને ચિઠ્ઠી લખીને ભલામણ કરી
નવી દિલ્હીઃ હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે થયેલ હેવાનિયતની ઘટના બાદ જ્યાં આખો દેશ ગુસ્સામાં છે, જ્યારે આ ઘટના બાદ હવે દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપના દોષિઓને જલી જ ફાંસી પર લટકાવવાની માંગ ઉઠી રહી છે. લોકો સતત સવાલો ઉઠાવી રહ્યા છે કે નિર્ભયાને આખરે ન્યાય ક્યારે મળશે? જો કે અહેવાલ મુજબ દોષિતોને ફાંસી આપવા માટે તિહાર જેલમાં એકેય જલ્લાદ જ નથી. એવામાં કેટલાય લોકો આગળ આવીને કહી રહ્યા છે કે નિર્ભયાના દોષિઓને ફાંસી આપવા માટે તેઓ ખુદ જલ્લાદ બનવા માટે તૈયાર છે. આ યાદીમાં હવે મહિલા સામાજિક કાર્યકર્તાએ દિલ્હીના ઉપરાજ્યપાલને ચિઠ્ઠી લખીને કહ્યું કે તે ખુદ જલ્લાદ બનીને નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા માટે તૈયાર છે.
આ રાક્ષસોને ફાંસી આપવા માટે તૈયાર છું
સામાજિક કાર્યકર્તા યોગિતા ભયાનાએ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલને ચિઠ્ઠી લખી છે. યોગિતા ભયાનાએ ટ્વીટ કરતા લખ્યું કે હું આ રાક્ષસોને ખુદ ફાંસી આપવા માટે કોઈપણ પ્રકારના ડર કે શરત વિના તૈયાર છું. માત્ર એક જલ્લાદ ના હોવાથી નિર્ભયાના દોષિતોને ફાંસીએ લટકાવવામાં મોડું ના થવું જોઈએ. દિલ્હીના ઉપરાજ્યપાલ મને મોકો આપે. આ રાક્ષસોને ફાંસી આપવા માટે હું તૈયાર છું. નિર્ભયાના ન્યાય માટે લડેલી મારી લાંબી લડાઈનો આ સુખદ અંત હશે.
ચિઠ્ઠી લખી
'પીપલ્સ અગેન્સ્ટ રેપ ઈન ઈન્ડિયા' અભિયાન ચલાવનાર યોગિતા ભયાનાએ એક અન્ય ટ્વીટમાં કહ્યું કે, હું દિલ્હીના ઉપરાજ્યપાલ, દિલ્હી પોલીસના કમિશ્નર અને તિહાર જેલના ડીજીને પત્રના માધ્યમથી આગ્રહ કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, 'નિર્ભયાના દોષિતોને ફાંસીએ લટકાવવાનો મને મોકો મળે, કોઈપણ શરત વિના હું તૈયાર છું.' અગાઉ શિમલાના પણ એક શખ્સે કહ્યું કે નિરભયાના દોષિતોને ફાંસી આપવા માટે તે ખુદ જલ્લાદ બનવા માટે તૈયાર છે.
ફાંસી માટે તિહાર જેલમાં જલ્લાદ નથી
જણાવી દઈએ કે મંગળવારે અહેવાલ મળ્યા હતા કે તિહાર જેલ પ્રશાસન એ વાતને લઈને પરેશાન છે કે ફાસી આપવા માટે હાલ તેમની પાસે કોઈ જલ્લાદ જ નથી. તિહાર જેલના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે એક મહિનામાં નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા માટેની તારીખ ગમે ત્યારે આવી શકે છે, એવામાં જેલ અધિકારી ફાંસીના ઈંતેજામ પૂરા કરવાને લઈ તમામ વિકલ્પો ચકાશી રહ્યા છે. દોષિતોને ફાંસીને મંજૂરી આપવા માટે કોર્ટ બ્લેક વોરન્ટ જાહેર કરશે, જે બાદ કોઈપણ દિવસે તેમને ફાંસીએ લટકાવી શકાય છે. રાષ્ટ્રપતિ તરફથી નિર્ભયાના દોષિતોની દયા અરજી ફગાવ્યા બાદ તેમની ફાંસીની તારીખ નક્કી થશે.
યૂપીના ગામોમાં જલ્લાદની તલાશ
જણાવી દઈએ કે અગાઉ તિહાર જેલમાં સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આી હતી. અફઝલને ફાંસી આપતી વખતે તિહારની સુરક્ષા બહુ સખ્ત કરી દેવામાં આવી હતી. તે સમયે પણ તિહાર જેલમાં જલ્લાદ નહોતો અને અફઝલની ફાંસી આપવા માટે એક કર્મચારીએ લીવર ખેંચવામાં પોતાની સહમતિ દાખવી હતી. હવે નિર્ભયાના દોષિતોની ફાંસી નજીક આવતી જોઈ તિહાર જેલના અધિકારીઓએ અનૌપચારિક રીતે અન્ય જેલોથી જલ્લાદને લઈ સંપર્ક સાધવો શરૂ કરી દીધો છે. તિહારના અધિકારી યૂપીના કેટલાક ગામોના પણ સંપર્ક સાધી રહ્યા છે, જેથી માલૂમ પડી શકે કે છેલ્લો જલ્લાદ કયા ગામેથી હતો.
|
બ્લેક વોરન્ટ જાહેર થતાં જ ફાંસીએ લટકાવી દેવાશે
નિર્ભયાના દોષિતોમાંથી માત્ર એક દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી છે. અન્ય દોષિત- મુકેશ, પવન અને અક્ષયે તિહાર પ્રશાસન તરફથી એક અઠવાડિયાનો સમય આપ્યો હોવા છતાં દયા અરજી દાખલ કરી નથી. તિહાર જેલ પ્રશાસને આ અરજીને દિલ્હી સરકારને મોકલી દીધી છે, જ્યાંથી તેને એલજી પાસે મોકલવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'એલજી આ ફાઈલને ગૃહ મંત્રાલય પાસે મોકલશે અને મંત્રાલય આ અરજીને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરશે. જે બાદ રાષ્ટ્રપતિના ફેસલાની જાણકારી તિહાર જેલને મોકલી આપવામાં આવશે. જો રાષ્ટ્રપતિ તરફથી અરજી રદ્દ થઈ જાય છે તો જેલ પ્રશાસન બ્લેક વોરન્ટ જાહેર કરાવવા માટે કોર્ટ જશે. બ્લેક વોરન્ટ જાહેર થયા બાદ જેલ અધિકારી દોષિતો અને તેમના પરિજનોને ફાસી વિશે જાણકારી આપી દેશે.'
ઉન્નાવમાં ગેંગરેપની પીડિતાને જીવતી સળગાવી, બધા આરોપીની ધરપકડ