આજે LICના કર્મચારી રહેશે હડતાળ પર, જાણો શું છે માંગ અને કેમ કરી રહ્યા છે સ્ટ્રાઈક
ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ના કર્મચારીઓએ આજે એટલે કે ગુરુવારે(18 માર્ચ) દેશવ્યાપી હડતાળની ઘોષણા કરી છે.
નવી દિલ્લીઃ ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ના કર્મચારીઓએ આજે એટલે કે ગુરુવારે(18 માર્ચ) દેશવ્યાપી હડતાળની ઘોષણા કરી છે. એલઆઈસીના કર્મચારી ગુરુવારે હડતાળ પર રહેશે. લાઈફ ઈન્સ્યોરન્સ કૉર્પોરેશનની આ હડતાળ એક દિવસની થવાની છે. એલઆઈસીના કર્મચારીઓની આ હડતાળ એલઆઈસીના ડિસઈનવેસ્ટમેન્ટ સાથે જોડાયેલ સરકારના પ્રસ્તાવના વિરોધમાં છે. ઑલ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ એમ્પ્લૉઈઝ એસોસિએશન(એઆઈઆઈઈએ)એ કહ્યુ કે તેમણે કેન્દ્રના ત્રણ પ્રસ્તાવના વિરોધમાં ઉદ્યોગમાં અન્ય ટ્રેડ યુનિયનો સાથે હડતાળનુ આહ્વાન કર્યુ છે કારણકે તે વીમા ઉદ્યોગ, દેશની અર્થવ્યવસ્થા અને લોકોના હિતમાં નથી.

છેવટે કેમ LICના કર્મચારી કરી રહ્યા છે હડતાળ?
બજેટ 2021-22માં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે એ વાતની ઘોષણા કરી હતી કે એલઆઈસીની પ્રારંભિક સાર્વજનિક રજૂઆત(આઈપીઓ) લાવવામાં આવશે. આ સાથે જ સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો(પીએસયુ) અને નાણાકીય સંસ્થાઓમાં વેચાણથી 1,75 લાખ કરોડ રોકાણ ટાર્ગેટ કરવામાં આવશે. સરકારની માલિકીવાળા ભારતીય જીવન વીમા નિગમ(એલઆઈસી)ની શરૂઆત 1956માં થઈ હતી. આમાં લગભગ 114,000 કર્મચારી કાર્યરત છે. આમાં પૉલિસી ધારકની સંખ્યા 29 કરોડથી વધુ છે.
શું છે LICના કર્મચારીઓની માંગ?
એલઆઈસીના કર્મચારી અને અધિકારી 18 માર્ચે હડતાળમાં ભાગ લેશે. આ વાતની માહિતી એઆઈઆઈઈએના મહાસચિવ શ્રીકાંત મિશ્રાએ આપી છે. એઆઈઆઈઈએના મહાસચિવ શ્રીકાંત મિશ્રાએ કહ્યુ, 'પ્રસ્તાવિત વિનિવેશ એલઆઈસીના ખાનગીકરણની દિશામાં પહેલુ પગલુ છે. આઈપીઓ 'આના નિર્માણના બહુ ઉદ્દેશો'નુ ઉલ્લંઘન હશે.' એલઆઈસીના કર્મચારીઓની માંગ છે કે કેન્દ્ર સરકાર એલઆઈસીનો આઈપીઓ ન લાવે. આ ઉપરાંત પીએસયુ અને ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્માં ભાગાદારી ન બચે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
