અણ્ણાનું સપનું સાકાર: લોકપાલ બિલ લોકસભામાં પાસ. કર્યા પારણા
નવી દિલ્હી, 18 ડિસેમ્બર: દેશમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા લોકપાલ બિલ આજે લોકસભામાં પણ પાસ થઇ ગયું છે. રસ્તાથી સંસદ સુધીની લાંબી મજલ કાપ્યા બાદ આ બિલ પાસ થઇ ગયું છે અને સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેનું સપનું આખરે પૂરું થયું છે. બિલ પાસ થયાના સમાચાર મળ્યા બાદ અણ્ણા હઝારેએ ખુશી વ્યક્ત કરી અને આજે નવમાં દિવસે તેમણે પારણા કર્યા હતા.
લોકપાલ માટે આંદોલનનુ નેતૃત્વ કરી રહેલા અણ્ણા હઝારેએ સાંસદો અને અને સરકારનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મનમોહન સિંહે આને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. બિલ પાસ થતાની સાથે જ રાલેગણ સિદ્ધિમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાઇ ગયું હતું. આ સમાચાર સાંભળતા જ અણ્ણાની ખુશીનો પાર રહ્યો નહીં.
જોકે સરકાર માટે બિલ પાસ કરાવવાની કવાયત કઇ સરળ રહી નહી કારણ કે સમાજવાદી પાર્ટી બિલનો ભરપૂર વિરોધ કરી રહી હતી. મંગળવારે સંસદ શરૂ થતા પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કમલનાથ અને નારાયણસામીને પોતાના ઘરે બોલાવ્યા અને સરકારની રણનીતિની જાણકારી આપી.
ત્યારબાદ મુલાયમ સિંહ અને રામગોપાલ યાદવની વડાપ્રધાન સાથે મુલાકાત થઇ. આ મુલાકાતમાં સમાજવાદી પાર્ટીને વિરોધ કરવા માટે ગૃહમાં હંગામો મચાવવાને બદલે વોકઆઉટ કરવા માટે મનાવી લીધા, અને આ રીતે લોકસભામાં લોકપાલ બિલ શાંતિથી પસાર થઇ ગયું.
જોકે લેફ્ટ સહિત કેટલીક પાર્ટીઓએ બિલના કેટલાંક સંશોધન પર મત વિભાજન પણ કરાવ્યું હતું. પરંતુ ભાજપની પરવાનગીના પગલે વોટિંગ પણ બિલના પક્ષમાં રહ્યું. જનલોકપાલ પર અણ્ણા આંદોલનથી દબાણમાં આવેલી સરકારે ડિસેમ્બર 2011માં ગૃહમાં મત તરીકે જે પ્રસ્તાવને પાસ કર્યું હતું, તે આ સરકારી લોકપાલ બિલમાંથી ગાયબ છે. ગૃહનો મત નિચલી નોકરશાહીને લોકપાલમાં સામેલ કરવાનો હતો, લોકપાલ અંતર્ગત રાજ્યોમાં લોકાયુક્તનું ગઠન કરવાનું અને સિટીઝન ચાર્ટર એટલે કે નાગરિક સંહિતાને લોકપાલનો ભાગ બનાવવાનો હતો.
પરંતુ હાલના વિધેયકમાં સિટીઝન ચાર્ટરનો સમાવેશ નથી કરવામાં આવ્યો અને લોકાયુક્તને લોકપાલથી અલગ કરી રાજ્યોને તેના ગઠન માટે એક વર્ષનો સમય આપી દેવામાં આવ્યો છે. એટલે કે છેલ્લા 45 વર્ષથી સરકારી ફાઇલોની ધૂળ ખાઇ રહેલા લોકપાલ કાનૂનનો માર્ગ મોકળો બની ગયો છે.

લોકપાલ બિલ લોકસભામાં
આજે લોકપાલ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીની રણનીતિ
સંસદ શરૂ થતા પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કમલનાથ અને નારાયણસામીને પોતાના ઘરે બોલાવ્યા અને સરકારની રણનીતિની જાણકારી આપી.

મુલાયમ સિંહનો વિરોધ
લોકસભામાં પણ મુલાયમ સિંહ યાદવે લોકપાલ બિલ પ્રત્યે પોતાનો વિરોધ જારી રખ્યો હતો, અને જણાવ્યું હતું કે આ બિલ દેશનું નાશ વાળશે, કોઇ કામો થશે નહીં. જોકે કોંગ્રેસે તેમને શાંત રહેવા અથવા વોકાઉટ કરી દેવા મનાવી લીધા હતા.

ભાજપ અને વામ દળોનું પણ સમર્થન
સરકારી લોકપાલ બિલને ભાજપ અને વામ દળોનું પણ સમર્થન મળ્યું અને તેને લોકસભામાં પાસ કરી લેવાયું. સુષ્મા સ્વરાજે લોકપાલ વિધેયકનો શ્રેય રાહુલ ગાંધીને નહીં પરંતુ અણ્ણા હઝારેને આપે તેવું જણાવ્યું હતું.

અણ્ણાએ કર્યા પારણા
અણ્ણા હઝારેએ લોકસભામાં લોકપાલ બિલ પાસ થઇ જતા સાંસદોનો આભાર માન્યો હતો અને તેમણે બાળકના હાથે પાણી પીને પોતાના ઉપવાસ છોડ્યા હતા.

અરવિંદ કેજરીવાલ
જનલોકપાલ પર અણ્ણા આંદોલનથી દબાણમાં આવેલી સરકારે ડિસેમ્બર 2011માં ગૃહમાં મત તરીકે જે પ્રસ્તાવને પાસ કર્યું હતું, તે આ સરકારી લોકપાલ બિલમાંથી ગાયબ છે. ગૃહનો મત નિચલી નોકરશાહીને લોકપાલમાં સામેલ કરવાનો હતો, લોકપાલ અંતર્ગત રાજ્યોમાં લોકાયુક્તનું ગઠન કરવાનું અને સિટીઝન ચાર્ટર એટલે કે નાગરિક સંહિતાને લોકપાલનો ભાગ બનાવવાનો હતો. પરંતુ હાલના વિધેયકમાં સિટીઝન ચાર્ટરનો સમાવેશ નથી કરવામાં આવ્યો અને લોકાયુક્તને લોકપાલથી અલગ કરી રાજ્યોને તેના ગઠન માટે એક વર્ષનો સમય આપી દેવામાં આવ્યો છે. જેથી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આ બિલને જોકપાલ બિલ ગણાવી તેનો અસ્વીકાર કર્યો હતો.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
