Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અણ્ણાનું સપનું સાકાર: લોકપાલ બિલ લોકસભામાં પાસ. કર્યા પારણા

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: દેશમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા લોકપાલ બિલ આજે લોકસભામાં પણ પાસ થઇ ગયું છે. રસ્તાથી સંસદ સુધીની લાંબી મજલ કાપ્યા બાદ આ બિલ પાસ થઇ ગયું છે અને સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેનું સપનું આખરે પૂરું થયું છે. બિલ પાસ થયાના સમાચાર મળ્યા બાદ અણ્ણા હઝારેએ ખુશી વ્યક્ત કરી અને આજે નવમાં દિવસે તેમણે પારણા કર્યા હતા.

લોકપાલ માટે આંદોલનનુ નેતૃત્વ કરી રહેલા અણ્ણા હઝારેએ સાંસદો અને અને સરકારનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મનમોહન સિંહે આને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. બિલ પાસ થતાની સાથે જ રાલેગણ સિદ્ધિમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાઇ ગયું હતું. આ સમાચાર સાંભળતા જ અણ્ણાની ખુશીનો પાર રહ્યો નહીં.

જોકે સરકાર માટે બિલ પાસ કરાવવાની કવાયત કઇ સરળ રહી નહી કારણ કે સમાજવાદી પાર્ટી બિલનો ભરપૂર વિરોધ કરી રહી હતી. મંગળવારે સંસદ શરૂ થતા પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કમલનાથ અને નારાયણસામીને પોતાના ઘરે બોલાવ્યા અને સરકારની રણનીતિની જાણકારી આપી.

ત્યારબાદ મુલાયમ સિંહ અને રામગોપાલ યાદવની વડાપ્રધાન સાથે મુલાકાત થઇ. આ મુલાકાતમાં સમાજવાદી પાર્ટીને વિરોધ કરવા માટે ગૃહમાં હંગામો મચાવવાને બદલે વોકઆઉટ કરવા માટે મનાવી લીધા, અને આ રીતે લોકસભામાં લોકપાલ બિલ શાંતિથી પસાર થઇ ગયું.

જોકે લેફ્ટ સહિત કેટલીક પાર્ટીઓએ બિલના કેટલાંક સંશોધન પર મત વિભાજન પણ કરાવ્યું હતું. પરંતુ ભાજપની પરવાનગીના પગલે વોટિંગ પણ બિલના પક્ષમાં રહ્યું. જનલોકપાલ પર અણ્ણા આંદોલનથી દબાણમાં આવેલી સરકારે ડિસેમ્બર 2011માં ગૃહમાં મત તરીકે જે પ્રસ્તાવને પાસ કર્યું હતું, તે આ સરકારી લોકપાલ બિલમાંથી ગાયબ છે. ગૃહનો મત નિચલી નોકરશાહીને લોકપાલમાં સામેલ કરવાનો હતો, લોકપાલ અંતર્ગત રાજ્યોમાં લોકાયુક્તનું ગઠન કરવાનું અને સિટીઝન ચાર્ટર એટલે કે નાગરિક સંહિતાને લોકપાલનો ભાગ બનાવવાનો હતો.

પરંતુ હાલના વિધેયકમાં સિટીઝન ચાર્ટરનો સમાવેશ નથી કરવામાં આવ્યો અને લોકાયુક્તને લોકપાલથી અલગ કરી રાજ્યોને તેના ગઠન માટે એક વર્ષનો સમય આપી દેવામાં આવ્યો છે. એટલે કે છેલ્લા 45 વર્ષથી સરકારી ફાઇલોની ધૂળ ખાઇ રહેલા લોકપાલ કાનૂનનો માર્ગ મોકળો બની ગયો છે.

લોકપાલ બિલ લોકસભામાં

લોકપાલ બિલ લોકસભામાં

આજે લોકપાલ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીની રણનીતિ

રાહુલ ગાંધીની રણનીતિ

સંસદ શરૂ થતા પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કમલનાથ અને નારાયણસામીને પોતાના ઘરે બોલાવ્યા અને સરકારની રણનીતિની જાણકારી આપી.

મુલાયમ સિંહનો વિરોધ

મુલાયમ સિંહનો વિરોધ

લોકસભામાં પણ મુલાયમ સિંહ યાદવે લોકપાલ બિલ પ્રત્યે પોતાનો વિરોધ જારી રખ્યો હતો, અને જણાવ્યું હતું કે આ બિલ દેશનું નાશ વાળશે, કોઇ કામો થશે નહીં. જોકે કોંગ્રેસે તેમને શાંત રહેવા અથવા વોકાઉટ કરી દેવા મનાવી લીધા હતા.

ભાજપ અને વામ દળોનું પણ સમર્થન

ભાજપ અને વામ દળોનું પણ સમર્થન

સરકારી લોકપાલ બિલને ભાજપ અને વામ દળોનું પણ સમર્થન મળ્યું અને તેને લોકસભામાં પાસ કરી લેવાયું. સુષ્મા સ્વરાજે લોકપાલ વિધેયકનો શ્રેય રાહુલ ગાંધીને નહીં પરંતુ અણ્ણા હઝારેને આપે તેવું જણાવ્યું હતું.

અણ્ણાએ કર્યા પારણા

અણ્ણાએ કર્યા પારણા

અણ્ણા હઝારેએ લોકસભામાં લોકપાલ બિલ પાસ થઇ જતા સાંસદોનો આભાર માન્યો હતો અને તેમણે બાળકના હાથે પાણી પીને પોતાના ઉપવાસ છોડ્યા હતા.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

જનલોકપાલ પર અણ્ણા આંદોલનથી દબાણમાં આવેલી સરકારે ડિસેમ્બર 2011માં ગૃહમાં મત તરીકે જે પ્રસ્તાવને પાસ કર્યું હતું, તે આ સરકારી લોકપાલ બિલમાંથી ગાયબ છે. ગૃહનો મત નિચલી નોકરશાહીને લોકપાલમાં સામેલ કરવાનો હતો, લોકપાલ અંતર્ગત રાજ્યોમાં લોકાયુક્તનું ગઠન કરવાનું અને સિટીઝન ચાર્ટર એટલે કે નાગરિક સંહિતાને લોકપાલનો ભાગ બનાવવાનો હતો. પરંતુ હાલના વિધેયકમાં સિટીઝન ચાર્ટરનો સમાવેશ નથી કરવામાં આવ્યો અને લોકાયુક્તને લોકપાલથી અલગ કરી રાજ્યોને તેના ગઠન માટે એક વર્ષનો સમય આપી દેવામાં આવ્યો છે. જેથી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આ બિલને જોકપાલ બિલ ગણાવી તેનો અસ્વીકાર કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X