સુધારાઓના નામે ચલાવાય છે લૂંટ : મમતા

મમતા બેનરજીએ ફેસબુક પરની પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે 'સુધારાનો અર્થ થાય કે લોકોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો. આજકાલના સુધારાના નિર્ણયો જનતા વિરોધી હોય છે.' વડાપ્રધાન મનમોહન સિંહે કરેલી જાહેરાત કે આગામી સમયમાં સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ સુધારણાના પગલાં ચાલુ રહેશે તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા વાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના 6 પ્રધાનોએ 21 સપ્ટેમ્બરના રોજ રાજીનામા આપ્યા હતા. હવે ટીએમસી રિટેલમાં એફડીઆઇ, ડીઝલમાં ભાવ વધારો અને રાંધણ ગેસના બાટલા પરની સબસિડી ઘટાડવાના મુદ્દે પહેલી ઓક્ટેબરે દિલ્હીના જંતર મંતર ખાતે દેખાવો અને વિરોધ પ્રદર્શન કરશે.












Click it and Unblock the Notifications
