For Quick Alerts
For Daily Alerts
સુધારાઓના નામે ચલાવાય છે લૂંટ : મમતા
મમતા બેનરજીએ ફેસબુક પરની પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે 'સુધારાનો અર્થ થાય કે લોકોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવો. આજકાલના સુધારાના નિર્ણયો જનતા વિરોધી હોય છે.' વડાપ્રધાન મનમોહન સિંહે કરેલી જાહેરાત કે આગામી સમયમાં સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ સુધારણાના પગલાં ચાલુ રહેશે તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા વાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના 6 પ્રધાનોએ 21 સપ્ટેમ્બરના રોજ રાજીનામા આપ્યા હતા. હવે ટીએમસી રિટેલમાં એફડીઆઇ, ડીઝલમાં ભાવ વધારો અને રાંધણ ગેસના બાટલા પરની સબસિડી ઘટાડવાના મુદ્દે પહેલી ઓક્ટેબરે દિલ્હીના જંતર મંતર ખાતે દેખાવો અને વિરોધ પ્રદર્શન કરશે.
Comments
mamata benarjee trinmul congress upa delhi fdi prime minister manmohan singh lpg cylinder મમતા બેનરજી તૃણમૂલ કોંગ્રેસ યુપીએ દિલ્હી એફડીઆઇ વડા પ્રધાન મનમોહન સિંહ એલપીજી સિલિન્ડર
English summary
Looting is on in the name of aam admi and reforms, Trinamool Congress chief Mamata Banerjee hit out on saturday ahead of her party's demonstration in Delhi on October one to protest the UPA government's decision to allow FDI in multi-brand retail.
Story first published: Sunday, September 30, 2012, 11:13 [IST]