મધ્ય પ્રદેશના સીધીમાં નહેરમાં પડી મુસાફરોથી ભરેલી બસ, અત્યાર સુધીમાં કાઢવામાં આવ્યા 35 શબ
મધ્ય પ્રદેશના સીધીમાં મંગળવારની સવારે એક મોટી દૂર્ઘટના બની ગઈ.
ભોપાલઃ મધ્ય પ્રદેશના સીધીમાં મંગળવારની સવારે એક મોટી દૂર્ઘટના બની ગઈ. અહીં સતના જઈ રહેલી એક બસ અનિયંત્રિત થઈને નહેરમાં પડી ગઈ. માહિતી મુજબ બસમાં 54 લોકો સવાર હતા. મધ્ય પ્રદેશના મંત્રી તુલસી સિલાવટે આ મામલે માહિતી આપીને જણાવ્યુ કે અત્યાર સુધીમાં 35 લોકોના શબ નહેરમાંથી કાઢવામાં આવી ચૂક્યા છે. તુલસી સિલાવટે કહ્યુ કે આ ઘટના ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સવારથી જ અધિકારીઓ પાસેથી સતત ઘટનાની પૂરી માહિતી લઈ રહ્યા છે.

વળી, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને કહ્યુ, 'આજે 1 લાખ 10 હજાર ઘરોમાં ગૃહ પ્રવેશનો કાર્યક્રમ નક્કી હતો પરંતુ સવારે 8 વાગ્યાથી જ મને એક દુઃખદ સૂચના મળી કે સીધી જિલ્લાની બાણસાગર નહેરમાં મુસાફરો ભરેલી બસ પડી ગઈ માટે આજે આ કાર્યક્રમ રાખવો યોગ્ય નથી. નહેર ઘણી ઉંડી છે અને અમે તાત્કાલિક બાંધમાંથી પાણી અટકાવીને રાહત અને બચાવ દળને રવાના કર્યા છે. કલેક્ટર, એસપી અને એસડીઆરએફની ટીમો ત્યાં હાજર છે. બસને નહેરમાંથી કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 7 મુસાફરોને બચાવવામાં આવી ચૂક્યા છે.'
લોકોને બચાવવામાં ગ્રામીણ પર કરી રહ્યા છે મદદ
માહિતી મુજબ લગભગ 54 મુસાફરોને લઈને આ બસ સતના તરફથી જઈ રહી હતી. આ દરમિયાન સીધી સ્થિત રામપુર નેકિન પોલિસ સ્ટેશન વિસ્તારના પટના પુલ પર ડ્રાઈવરનુ બસ પરથી નિયંત્રણ છૂટી ગયુ. બસ અનિયંત્રિત થઈને નહેરમાં પલટી ગઈ. ઘટનાની સૂચના મળતા જ પ્રશાસનિક ટીમ ઘટના સ્થળે પહોંચી. રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરીને 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘટના બાદ ગ્રામીણ અને અન્ય લોકો પણ બસમાં ફસાયેલ લોકોને બહાર કાઢવામાં લાગ્યા છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગ્રામીણ એકઠા થયા છે. ઘટનાની માહિતી મળતા જ બસમાં સવાર લોકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
