For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 2ના મોત, 5 લોકો હજુ પણ દબાયા હોવાની આશંકા

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક દર્દનાક દૂર્ઘટના બની છે. અહીંના શાંતિ નગર વિસ્તારમાં એક ચાર માળની ઈમારત પડી ગઈ.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક દર્દનાક દૂર્ઘટના બની છે. અહીંના શાંતિ નગર વિસ્તારમાં એક ચાર માળની ઈમારત પડી ગઈ. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 5 લોકોને સુરક્ષિત રીતે કાટમાળમાંથી કાઢવામાં આવી ચૂક્યા છે. દૂર્ઘટનામાં ઘાયલ લોકોને પાસેની IGM હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઈમારતના કાટમાળમાં હજુ પણ 5 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

maharashtra building

વળી, આ દૂર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે. એક મૃતકની ઓળખ 28 વર્ષના શિરાજ અન્સારી તરીકે થઈ છે. મોડી રાતે બિલ્ડીંગનું કોલમ ફાટવા લાગ્યુ હતુ. લોકો બિલ્ડીંગ ખાલી કરે તે પહેલા આ દૂર્ઘટના બની ગઈ. લોકોના નીકળતા પહેલા બિલ્ડીંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. પોલિસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને તમામ રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે.

બિલ્ડીંગ છ વર્ષ જૂનુ બતાવવામાં આવી રહ્યુ છે. લોકોને બચાવવાનું કામ ચાલુ છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ મુંબઈના ડોંગરી વિસ્તારમાં પણ એક બિલ્ડીંદ ધરાશાયી થઈ જતા 14 લોકોના મોત નીપજ્યા હતા. આ દરમિયાન બચાવ દળે લગભગ 72 કલાક રેસ્ક્યુ ઑપરેશન કરીને 23 લોકોને બિલ્ડીંગના કાટમાળમાં સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના આજના શ્રીનગર પ્રવાસ પર પ્રશાસનનું મોટુ નિવેદન, 'અત્યારે ન આવો કાશ્મીર'આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના આજના શ્રીનગર પ્રવાસ પર પ્રશાસનનું મોટુ નિવેદન, 'અત્યારે ન આવો કાશ્મીર'

English summary
Maharashtra: A four-storey building collapsed in Shanti Nagar area of Bhiwandi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X