For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ BJPને ઝટકો, એનસીપીમાં શામેલ થશે પૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસે

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસે હવે એનસીપીમાં જોડાવા જઈ રહ્યા છે. આ વિશેની માહિતી એનસીપી નેતા અને મહારાષ્ટ્રના મંત્રી જયંત પાટિલે પોતાના એક નિવેદનમાં આપી. જયંત પાટિલે કહ્યુ કે, 'એકનાથ ખડસેએ વર્ષો સુધી મહારાષ્ટ્રમાં ભાજપને આગળ વધારવાનુ કામ કર્યુ, મને સૂચિત કરવામાં આવ્યુ છે કે ભાજપ નેતા એકનાથ ખડસેએ પોતાની પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. અમે તેમને એનસીપી(રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)માં શામેલ કરવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે બપોરે 2 વાગે તેમને ઔપચારિક રીતે એનસીપીનુ સભ્યપદ આપવામાં આવશે.'

khadse

જયંત પાટિલના દાવા બાદથી મહારાષ્ટ્ર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ ખડસેના સમર્થકોએ તેમના એનસીપીમાં શામેલ થતા પહેલા જ પૂર્વ ભાજપ મંત્રીના ગૃહ ક્ષેત્ર જલગાંવ-મુક્તાઈ નગરમાં મોટા મોટા બેનર લગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એકનાથ ખડસે ઘણા સમયથી પાર્ટીની અંદર ખુદને ઉપેક્ષિત અનુભવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ગોપીનાથ મુંડેના નિધન બાદ એકનાથ ખડસે જ રાજ્યમાં ભાજપનો મોટો ચહેરો માનવામાં આવતા હતા. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ખડસે આજે(મંગલવાર) સાંજે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાના રાજીનામાનુ એલાન કરી શકે છે.

કોલકત્તા હાઈકોર્ટે પંડાલમાં 'નો એન્ટ્રી'ના ચુકાદામાં આપી ઢીલકોલકત્તા હાઈકોર્ટે પંડાલમાં 'નો એન્ટ્રી'ના ચુકાદામાં આપી ઢીલ

English summary
Maharashtra: BJP former revenue minister Eknath Khadse will join NCP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X