મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાનો સોનિયા ગાંધી પર નિશાનો, કહ્યું- પાર્ટી છોડવાના દિવસો દૂર નથી
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાનો સોનિયા ગાંધી પર નિશાનો, કહ્યું- પાર્ટી છોડવાના દિવસો દૂર નથી
નવી દિલ્હીઃ મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરુપમે પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ બગાવતનો ઝંડો ફરકાવી દીધો છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને હવે તેમની જરૂરત નથી. જણાવી દઈએ કે ઉમેદવારોને ટિકિટ આપવામાં નેતૃત્વ તરફથી તેમને ભાવ આપવામાં ન આવતાં નારાજ છે. સંજય નિરુપમાએ કહ્યું કે તેઓ તરત પાર્ટી નહિ છોડે, પરંતુ જો લીડરશિપનું વલણ આવું જ રહ્યું તો તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય પણ કરવો પડી શકે છે.

લોકસભા ચૂંટણીના સમયથી શરૂ થયેલ મુંબઈ કોંગ્રેસનું આંતરિક યુદ્ધ હવે પાર્ટીને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. અગાઉ મુંબઈ કોંગ્રેસના નેતાઓ પર ગંભીર સવાલો ઉઠાવી અભિનેત્રીથી નેતા બનેલ ઉર્મિલા માતોંડકર પણ કોંગ્રેસ છોડી ચૂક્યાં છે. હવે સંજય નિરુપમે કહ્યું કે જ્યારે નેતૃત્વ તેમની એક ભલામણ પણ માનવા તૈયાર નથી તો આગામી દિવસોમાં તેમણે પાર્ટી છોડવાનું પગલું પણ ભરવું પડી શકે છે.
સંજય નિરુપમે બે ટ્વીટ કરી નેતૃત્વ પર પોતાની ભડાસ કાઢી છે. નિરુપમે પાર્ટી નેતૃત્વ પર આરોપ લગાવ્યો કે એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને મારી સેવાઓની જરૂરત નથી. વિધાનસભા ચૂંટણી માટે મુંબઈથી માત્ર એક નામની ભલામણ જ કરી હતી. સાંભળ્યું છે કે તેને પણ નામંજૂર કરી દેવામાં આવી છે. જેમ કે મેં પહેલા જ લીડરશિપને લઈ જણાવ્યું હતું કે આવું થવા પર હું ચૂંટણી પ્રચારમાં સામેલ નહિ થાઉં. આ અંતિમ ફેસલો છે.
It seems Congress Party doesn’t want my services anymore. I had recommended just one name in Mumbai for Assembly election. Heard that even that has been rejected.
— Sanjay Nirupam (@sanjaynirupam) October 3, 2019
As I had told the leadership earlier,in that case I will not participate in poll campaign.
Its my final decision.
તેમણે બીજા ટ્વીટમાં લખ્યું કે, "મને ઉમ્મીદ છે કે મારે પાર્ટીને ગુડ બાય કહેવું પડે એ દિવસ હજુ આવ્યો નથી. પરંતુ નેતૃત્વ મારી સાથે જેવો વ્યવહાર કરી રહ્યું છે, તેનાથી લાગે છે કે જલદી જ એ દિવસ બહુ દૂર નથી. " જણાવી દઈએ કે નિરુપમની નારાજગીનું કારણ એ પણ છે કે લોકસબા ચૂંટણીની ઠીક પહેલા મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી તેમને હટાવી મિલિંદ દેવડાને કમાન સોંપી દેવામાં આવી હતી અને હાલ નિરુપમ પાસે પાર્ટીમાં કોઈ ખાસ પદ પણ નથી.
I hope that the day has not yet come to say good bye to party. But the way leadership is behaving with me, it doesn’t seem far away. https://t.co/B07biJWp5M
— Sanjay Nirupam (@sanjaynirupam) October 3, 2019
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ










Click it and Unblock the Notifications
