મહારાષ્ટ્ર કોગ્રેસે બીજેપી સાથે ગઠબંધન કરનારા 12 કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા

મહારાષ્ટ્ર કોંગ્રેસે અંબરનાથ નગર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન કરવા બદલ તેના 12 કાઉન્સિલરોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે બ્લોક કોંગ્રેસ કારોબારીને પણ બરતરફ કરવામાં આવી છે. આ ગઠબંધન અંબરનાથ વિકાસ આઘાડી નામે ઓળખાય છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હર્ષ વર્ધન સપકલે ભાજપ સાથે કોઈપણ સ્તરે જોડાણને અસ્વીકાર્ય ગણાવ્યું છે. મુંબઈથી 70 કિલોમીટર દૂર આવેલા અંબરનાથમાં ભાજપે શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને મ્યુનિસિપલ કાઉન્સિલમાં સત્તાથી દૂર રાખવા કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે, જે સાંસદ શ્રીકાંત શિંદેનો ગઢ છે.

તાજેતરની 60 બેઠકોની નગર પરિષદ ચૂંટણીમાં શિવસેનાને 27, ભાજપને 14, કોંગ્રેસને 12, NCPને 4 અને અપક્ષોને 2 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપનો મેયર ચૂંટાયો હતો.

ભાજપ-કોંગ્રેસ ગઠબંધનથી શિવસેના (શિંદે જૂથ) માં ભારે નારાજગી ફેલાઈ છે. ધારાસભ્ય ડૉ. બાલાજી કિનિકરે ભાજપ પર પ્રહાર કરતા તેને અભદ્ર ગઠબંધન ગણાવ્યું. તેમણે કહ્યું, કોંગ્રેસ મુક્ત ભારતની હિમાયત કરનાર પક્ષ હવે કોંગ્રેસ સાથે મળીને શિવસેના પર હુમલો કરી રહ્યો છે.

બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે કડક વલણ અપનાવી કોંગ્રેસ સાથેનું ગઠબંધન અસ્વીકાર્ય ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્થાનિક સ્તરે લેવાયેલા આ નિર્ણયને સુધારવામાં આવશે અને કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X