Maharashtra Election 2024 : સુપ્રિયા સુલેને CM બનાવવા એક મંચ પર આવી રહ્યા છે શરદ-અજીત પવાર? કેમ શરૂ થઈ ચર્ચા?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ઝડપથી બદલાઈ રહી છે.
અહેવાલો અનુસાર, ક્યારેક શદર પવારને દગો કરીને બીજેપી સાથે ગયેલા અજીત પવાર હવે પાછા શરદ પવાર સાથે એક મંચ પર આવી શકે છે. જો આવુ થાય તો બીજેપી માટે મોટુ મુશ્કેલી સર્જાઈ શકે છે.

હાલમાં જ અજીત પવારે કહ્યું હતું કે સુપ્રિયા સુલે સામે તેમની પત્નીને લોકસભા ચૂંટણી લડાવવી એ તેમની ભુલ હતી. આ નિવેદને ઘણા સંકેતો આપી દીધા છે.
સુપ્રિયા સુલેએ એમ પણ કહ્યું કે પૂછ્યું હોત તો મેં બધું જ આપી દીધું હોત. પાર્ટી તોડવાની જરૂર નહોતી. આ કેટલી મોટી વાત છે. છોડવાની પસંદ તેની હતી. સુપ્રિયા સુલેએ કહ્યું કે તેમના પિતા શરદ પવારની આગેવાની હેઠળની NCP અજિત દાદાને પાર્ટીમાં રાખવા માંગતી હતી.
અગાઉ અજિત પવારે બારામતીમાં તેમની પત્ની સુનેત્રા પવારને લોકસભા ચૂંટણી લડાવવા મુદ્દે કહ્યું હતું કે સુનેત્રા પવારને બારામતી સીટથી સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડાવવી એ ભૂલ હતી. અજિત પવારે પણ શરદ પવાર પ્રત્યે સંપૂર્ણ આદર વ્યક્ત કરતા દરેક પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
આ તમામ સ્થિતી વચ્ચે જો બન્ને પવાર એક મંચ પર આવી જાય છે તો મહારાષ્ટ્રમાં એનસીપીની રાજકિય સ્થિતી ઘણી મજબુત થઈ જશે અને સીએમ પદ માટે દાવો પણ મજબુત થઈ જશે. આ જ કારણ છે કે બની રહેલી સ્થિતીએ બીજેપીની ઉંઘ હરામ કરી દીધી છે.












Click it and Unblock the Notifications
