મહારાષ્ટ્ર : નદીમાં બસ પડવાના કારણે 13 લોકોની મોત, 3 ઇજાગ્રસ્ત
મહારાષ્ટ્રમાં થયો એક બસ અકસ્માત. જેમાં સવાર 17 યાત્રીઓમાંથી 12 લોકોની ઘટના સ્થળે જ થઇ મોત. જાણો આ સમાચાર અંગે વિગતવાર અહીં.
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નદીમાં બસ પડી જવાથી 13 લોકોની મોત થઇ છે. અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોને કોલ્હાપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુર વિસ્તારમાં આવેલા શિવાજી પુલ પર થઇ છે. જણવા મળ્યું છે કે બસમાં સવાર તમામ યાત્રીઓ ભગવાન ગણેશની પૂજા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના થઇ હતી. ડ્રાઇવરે પોતાનું નિયંત્રણ ગુમાવતા બસ નદીમાં પડી ગઇ હતી જેના કારણે આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ બસમાં 17 લોકો હતા જેમાંથી 13 લોકોની મોત ઘટના સ્થળે જ થઇ ગઇ હતી. કોલ્હાપુર પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના શનિવાર રાતે લગભગ 11:45 થઇ હતી.

નોંધનીય છે કે બસ કોંકણ ક્ષેત્રના ગણપતિપુડી ગામથી પુણીની તરફ જઇ રહી હતી. જે બાદ ડ્રાઇવરનું નિયંત્રણ જતા બસ પુલથી લગભગ 45 ફીટ નીચે નદીમાં પડી ગઇ હતી. સ્થાનિક સુત્રોથી જે માહિતી મળી છે તે મુજબ બસમાં સવાર શ્રદ્ધાળુઓ કોલ્હાપુરમાં મહાલક્ષ્મી મંદિરની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ ઘટના બનતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને પોલીસે ફાયર બ્રિગ્રેડની મદદથી સર્ચ અને બચાવ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. પણ તેમ છતાં મોડી રાતે બનેલી આ ઘટનામાં 17 લોકોમાંથી ખાલી 3 લોકોને જ બચાવી શકાયા હતા.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
